SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૩૬ કથારન-કાશઃ ઝવેરી પાસેથી રન મેળવવા માટે વિજયદેવની પ્રયુક્તિ આવે ત્યાં સુધી દુર્ગતિના ચકો આક્રમણ કર્યા કરે છે. શત્રુઓ પણ નિર્દય રીતે હેરાન કર્યા કરે છે. એ પ્રમાણે અનેક પ્રકારનાં તરંગોને લીધે વ્યાકુળ થઈ ગયેલે તે, એ રત્નને મેળવવાને ઉપાય ન જડતાં એના મુખની બધી કાંતિ હરાઈ ગઈ એ થઈ ગયે. જાણે કે શૂન્ય ન થયો હોય, મછિત ન થયો હોય, ચિત્રમાં ચિતરેલ ન હોય, સમાધિ કરેલી ન હોય એ એ સ્તબ્ધ જ થઈ ગયું. તેને એવો થયેલે જઈને વિસ્મય સાથે પેલા વાણિયાએ કહ્યું. હે વણિકપુત્ર ! આમ કેમ એકાએક ઝાંખો પડી ગયા છે ? વિચારે છે? વિજયદેવ બોલ્યો ઃ કશું ય નહીં. પેલે ઝવેરી બેઃ તે પણ તું આ રત્નને જોઈને આમ ઉદાસ બની ભેઠે પડી ગયેલ છે એટલે આ રત્નને કાંઈ પણ ગુણદેષની હકીકત કહી બતાવ. વિજયદેવ બોલ્યો : વખત આવતાં કહી બતાવીશ. ત્યાર પછી પેલે ઝવેરી યણ એ બાબત વારંવાર પૂછવા તેની પાછળ પડ્યો. બરાબર આ જ સમયે રાજાને પટ્ટહાથી બાંધવાને થાંભલે ઉખેડી નાંખી ભાગ્ય અને ઘરની ભીતિને ભાંગ, લેકમાં ખળભળાટ કરતા તે સ્થળે આવી પહોંચે. જે લેકે ત્યાં બેઠા હતા તે બધા ભાગી ગયા. વિજયદેવ પણ એ જ બાને ત્યાંથી દૂર ખસી ગયે. હવે કઈ બીજે દિવસે એકાંતમાં વિજયદેવ એ ઝવેરીની દાસીને મળે અને તેને કાંઈ ઈનામ વગેરે આપી ખુશ કરી પૂછવા લાગ્ય: હે ભદ્રે ! તારા શેઠે આ માણેકને શી રીતે મેળવેલું છે? તે બેલીઃ મારે શેઠ એક વાર ભલેની પશ્વિમાં ગયો હતો ત્યાં ભીલે કઈ મેટા સાર્થવાહને વાટમાં પ્રવાસ કરતો જોઈ તેનું બધું ધન લૂંટી લીધું. એ લંટમાં પેલા ભીલને આ માણેક મળેલું અને મારા શેઠે કેટલીક સેનામહોરો આપી તે ભીલની પાસેથી આ માણેક લઈ લીધું. આ રીતે વિજ્યદેવે માણેકને અથથી ઇતિ સુધીને બધે વૃત્તાંત જાણી લીધું. પછી તે તેને મેળવવા ચિત્તમાં જુદા જુદા ઉપાયે વિચારવા લાગ્યો. એમ કરતાં કરતાં તે એક વાર પેલા ઝવેરી પાસે પાછા ગયા. તેણે તેને આસન ઉપર બેસાડીને કહ્યું : હે વિજયદેવ! મેં જે તને આ માણેક વિશે પહેલાં પૂછેલું હતું તે જ વાત બધી રીતે તું મને કહી બતાવ. વિજયદેવ બોલ્યા: જે પદાર્થ ઘણુ પ્રયત્નોથી મેળવેલ હોય તેના સંબંધમાં દોષની કે ગુણોની વાત કરવી એ કુશળ પુરુષને ઉચિત નથી. એવી વાત કરવાથી ઘણીવાર હદયમાં લેશ પણ પેિદા થાય છે. જે દેશે જે કાળે જે જેમ થવાનું હોય છે તે તેમ થયા જ કરે છે એટલે એ વિશે વધારે કહેવાથી શું લાભ? આ રીતે તે વિજયદેવના લુચ્ચાઈભર્યા ગંભીર વચન સાંભળીને રત્નને ગુણે કે દેશની હકીકત નહીં જાણુત પેલે ઝવેરી વળી વિશેષ શંકામાં પડ્યો. પછી તો તે ઝવેરી કપાળમાં આદરપૂર્વક હાથ જોડીને એમ કહેવા લાગે કે-હે વિજયદેવ ! હું તને ઘણું આદર સાથે પૂછું છું છતાં તું મને કશું ય સ્પષ્ટ શા માટે કહેતા નથી? કદાચ આ રત્ન સુંદર ન હોય અને એને ઘરમાં રાખવાથી હાનિ જ થવાની તે ભાસતી "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy