SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ = = = ક્યારત્ન-કેશઃ પરદેશગમન સમયે ધરણને પિતાએ આપેલ પુનઃ શિખામણ ૨૦૪ હતા તેથી તેણે સિંહની આંખમાં બાણ મારી તેની આંખ ફાડી નાખી. સિંહને મર્મસ્થળમાં બાણ વાગ્યા અને આંખ જતી રહી તેથી તે ઘણે રેલ પામ્યો પરંતુ આંધળે થયો હોવાથી લશ્ય વિના જ ફાળ ભરવા તૈયાર થતા અને સન્મુખ ધસી આવતા તેના મુખમાં ઉપરાઉપર તણે બાણે છેડી ધરણે તેનું મોટું વીંધી નાખ્યું અને એ રીતે એ સિંહને છેટેથી જ ચમના મુખમાં ધક્કેલી દીધો. ધરણને શાબાશી મળી અને વિજય પ્રાપ્ત કરીને તે નગરમાં પાછો ફર્યો. રાજાને ધરણના પરાક્રમની વાત સાંભળી ઘણે જ આનંદ થયે. તેણે માઈગ્નનું ઘાચું સન્માન કર્યું, ઈનામમાં કેટલાય ગામડાં આપ્યાં તથા આજીવિકાનાં સાધન-પગાર વગેરે વધારી આપ્યા. એમાઈ પણ પિતે સ્વીકારેલ પરિગ્રહ-પ્રમાણની મર્યાદા કરતાં જે કાંઈ વધારે હતું તે ન લીધું અને મર્યાદામાં આવતું હતું તેટલું જ સ્વીકાર્યું. પછી રાજાએ રજા આપતાં તે સ્વગૃહે આવ્યું અને પોતે રાજાએ આપેલું ઈનામ કેટલું લીધું અને કેટલું ન લીધું તે બધી હકીક્ત ધરણને કહી સંભળાવી. તે સાંભળતાં જ ધરણ છે ભરા અને બે કે-તમે રાજાએ આપેલું બધું ય ઈનામ શામાટે ન સ્વીકાર્યું ? એમાઈએ કહ્યું- હે પુત્ર, મારે તે પરિગ્રહની મર્યાદા છે તેથી રાજાએ આપેલ બધું સ્વીકારું તે મારી લીધેલી મર્યાદાને લેપ થાય તેમજ વ્રતને ભંગ થાય માટે મેં મારી મયદા પ્રમાણેનું હતું તે લીધું અને બાકીનું ન લીધું. પિતાની આ વાત સાંભળી ધરેણે કહ્યું તમારી આવી ખોટી ધર્મશ્રદ્ધાને લીધે તમે મને નિર્ધન કર્યું છે. મેં યમરાજ જેવા સિંહને મા, તેથી રાજા રાજી થયે એટલે તેણે આપેલ બધું ઈનામ લઈ લેવું હતું, તેને બદલે તમે તે થોડું જ લઈને આવ્યા તે ઠીક ન કર્યું. એમાઈરચે કહ્યું: હે પુત્ર, તે ગમે તેમ કહે, હું તે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ જ રીતે વર્તીશ. આ સાંભળીને ધરણના મનમાં ઘણે ક્રોધ ચઢ્યો અને તે થોડા જ દિવસે પછી થોડી ઘરવકરી લઈને પિતાથી જુદો થઈ ગયે. ધરણ રાજાની હંમેશા સેવા કરવા લાગ્યું. રાજાએ પણ તેને “વીર” કહીને તેના પર મહેરબાની કરી. કેઈક સમયે ચેડ દેશના રાજાને આપવા યોગ્ય ઘણું જ ભટણ તેમજ બીજી પ્રવાસોપાગી સાધનસામગ્રીથી ભરેલા વહાણને નાયક ધરણને બનાવીને રાજાએ તેને ચેડ દેશ તરફ મોકલ્યો. રાજાજ્ઞાને માથે ચડાવીને ધરણુ જ્યારે પ્રવાસે જવા લાગે ત્યારે પુત્રનેહને કારણે એમાઈશે તેને જણાવ્યું કે હે પુત્ર, જિંદગીને જોખમમાં મૂકનારી લક્ષમીને કમાવા માટે તું આજે પ્રવાસ કરે છે તે ઘણું જ અયુક્ત છે. તું ગમે તેટલું ધન કમાયા કર છતાં જ્યાં સુધી તારે લેભ નિવાર્યો નથી ત્યાં સુધી તારી ધનાદિકની આકાંક્ષા ઓછી થશે નહીં. ગંગા વિગેરે મટી-મોટી નદીઓના પાણીના પૂરે દ્વારા ગંભીર અને વિશાળ પેટાળવાળા સમુદ્ર કદાચ કઈ પણ રીતે પુરાઈ જાય, એ "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy