SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ કથારત-કેશ: મુનિવરે સમજાવેલ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ ૧૭૬ પછી જ તે પ્રતિજ્ઞા કરે તે જ તારી સત્ય પ્રતિજ્ઞા થશે. તે સાંભળી તેં કહ્યું : હે ભગવંત! મને તે સમજાવે. ગુરુએ જણાવ્યું: બીજાએ નહીં આપેલા દ્રવ્યનું ગ્રહણ ન કરવું તેનું નામ ત્રીજું આણુવ્રત–સ્થળ અદત્તાદાનવિરમણ વ્રત. દ્રવ્ય અહીં સ્થળ સમજવું. સ્થળ દ્રવ્ય સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું સમજવું. સ્થળ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞામાં સ્થળ દ્રવ્યની મર્યાદા હોય છે. એ પ્રતિજ્ઞામાં મનથી, વચનથી અને કાયાથી સ્થળ અદત્ત ન લેવું અને ન લેવરાવવું. એમ સમજવાનું છે. અર્થાત્ બે કરણ અને ત્રણ જેગથી એ પ્રતિજ્ઞા લેવાની હોય છે. જે ગૃહસ્થ ત્રીજા અણુવ્રતની પ્રતિજ્ઞા સ્વીકારે ત્યારે તેણે તે પ્રતિજ્ઞાને લગતાં પાંચ અતિચારે (૮) પણ સમજી લેવાં. અતિચારેને બરાબર સમજ્યા પછી લીધેલી પ્રતિજ્ઞામાં એક પણ અતિચાર કદી પણ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું. તે અતિચારે આ પ્રમાણે છે–૧ તેનાહત, ૨ તસ્કરોગ, ૩ વિરુદ્ધરાજ્ય, ૪ ફૂટતુલકૂટમાન, ૫ તતિરૂપ વ્યવહાર. એ પાંચ દેને ત્યાગ કરવો જોઈએ. ૧ ઑનાહત-ગેરેએ ચેરી કરીને આણેલી બીજાની કોઈ પણ ચીજને લેવશથી છાનામાના ખરીદી લેવી. ૨ તસ્કયેગ-ગેરેને આ પ્રમાણે કહેવું કેબેસી શું રહ્યા છે? ચેરી શા માટે કરતા નથી ? તમારે જે કંઈ જોઈએ તે હમણું ઉધાર લઈ જાઓ-આ રીતે ચોરેને ચોરી કરવા માટે પ્રેરણ કરવી. આ પ્રમાણે પ્રેરણું કરનારને ચીર્યની પિતાની પ્રતિજ્ઞામાં દોષ લાગે છે. ૩ વિરુદ્ધરાજ્ય-જે રાજા પોતાના રાજાથી વિરુદ્ધ હોય તેની સાથે વાત કરવાની પણ પિતાના રાજાની મનાઈ હોય છતાં ચોર્યના ત્યાગની પ્રતિજ્ઞાવાળો માણસ લેવશથી વિરુદ્ધ રાજા સાથે વાતચીત કરે કે કેઈ પણ જાતને પ્રસંગ પાડે તો તેને દેષ લાગે છે. ૪ ફૂટતુલ-કૂટમાન -જે કઈ ગૃહસ્થ પિતાના વ્યવહારમાં ઠરાવેલાં હોય તે કરતાં વધારે પડતાં ભારે ચા એછા વજનના તેલાં–કાટલાં રાખે, અથવા અનાજ કે કપડાં વગેરે ભરવાનાં માપ વધારે કે ઓછા રાખે અને તે તેલ કે માપ દ્વારા કેઈ ચીજ બીજાને આપે કે બીજા પાસેથી લે તે તે પિતાના ચીર્યના ત્યાગની પ્રતિજ્ઞામાં દૂષણ લગાડે છે. ૫ તાતિરૂપ વ્યવહાર-જે ગૃહસ્થ સરખેસરખા વર્ણ-ગંધના પદાર્થોને એકબીજામાં - મેળવી દે અથર્ ઘીમાં તેના સરખા રૂપવાળી ચરબી ભેળવે, ચેખામાં તેના સરખા વર્ણ વાળાં દરિયાના ફીણને ભેળવે તે પોતાની પ્રતિજ્ઞામાં દેષ લગાડે છે. લોભને વશ થઈ સરખેસરખાં પદાર્થો એકબીજામાં ભેળવી દઈ નવાં જૂનાં ધાને અથવા બીજા પણ નવાં જૂનાં પદાર્થોને એકબીજામાં ભેળવી દઈને “આ નવું ધાન્ય છે, આ સારે પદાર્થ છે.” એમ કહી વ્યવહાર ચલાવવું તે તત્વતિરૂપ વ્યવહાર કહેવાય છે. આ પ્રમાણે આ પાંચે અતિચારે બરાબર સમજી લેવાનાં છે. ત્રીજું અણુવ્રત સ્વીકાર નારે જ્યારે છાને માને ચેરીને માલ ખરીદે છે ત્યારે તે ચરી જ કરે છે એટલે આ અતિચાર વતભંગરૂપ છે પરંતુ ચારીને માલ ખરીદતી વખતે જ્યારે તેના મનમાં એમ "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy