SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ • થારનકાષ : હસ્તિતાપસ સાથે નારાયણુને મેળાપ. ૨૯૬ જેવી ચચળ છે, યમરાજ તે પાસે જ બેઠા છે, અને આવતી આફતોને કોઇ પણ રીતે અટકાવી શકાતી નથી, આ સાંભળીને પુરાર્હુિત ખેલ્યા: હે પુત્ર! એમ કર. પછી સારી તિથિ, સારૂ મુહૂર્ત અને સારા યોગ જોઈને થાડુંક ભાતુ સાથે લઇને નારાયણ નીકળી પડ્યો. સારાં શુકન થતાં તેનો ચિત્તનો ઉત્સાહ વચ્ચે અને તે સુનિપુણ એવા કોઇ પુરુષને શેાધતા શેાધતા એક પહાડીમાં આવેલા કુજમાં પેઠે. ત્યાં તેણે એક હસ્તિતાપસ જેચે. એ તાપસ અનેક પ્રકારનાં કષ્ટોથી પેાતાની જાતને ક્રમતા હતા અને અઠ્ઠમને પારણે લાંબા સમયથી મારી નાખેલા વનહાથીનું માંસ ખાઈ પારણુ કરીને પોતાના નિર્વાઠુ કરતા હતા, તેને તેવા પ્રકારના ધર્મનું આચરણ કરતા જોઇ નારાયણે નમસ્કાર કર્યો અને તે તેની સાથે વાતચિત કરવા લાગ્યા: હે ભગવંત! ભીલ લોકોને ખાવા લાયક એવા વનહાથીનું માંસ ખાઇને આપ અઠ્ઠમનુ પારણું કરે છે એમાં ધર્મને કચે પરમા રહેલા છે ? કહ્યું છે કે— ઋષિઓએ આચરેલી અવધૂત પૂત અને પ્રશસ્ત એવી માધુકરી વૃત્તિ મ્લેચ્છને ઘરેથી પણ કરવી જોઇએ.' અર્થાત્ સાધુ સન્યાસીએ તે ભિક્ષાવૃત્તિથી રહેવુ જોઇએ, એ માગ મુનિજનોએ પ્રશસ્તપણે આચરી ખતાવેલ છે. તાપસ એલ્યુઃ હે ભદ્ર ! અમારા ધર્મોંમાં જીવદયા એ પ્રધાન તત્ત્વ છે. ઘરે ઘરે ભિક્ષા લેવા ભમીએ તે ચાલતાં ચાલતાં અનેક જીવા કચરાઈને મરી જાય અને તેથી અમારા યાપ્રધાન ધર્મ ન સચવાય. વળી, એકે એક કણુમાં એક એક નોખા નોખા જીવ છે. ઘણા કણેા ભેગા કરીએ અને રાંધણુ બનાવીએ તે પણ ઘણા જીવાનો ધાત થાય છે માટે અનેક જીવાના સમૂહને બચાવવા સારુ એક જીવવાળા એક મોટા પ્રાણીનો ઘાત કરવા એ અમારા નિર્વાહ માટે અમે ચેગ્ય માનીએ છીએ, નારાયજી આલ્યાઃ જેનામાં જીવગુણુ ચેતના હૈાવાનુ હજી સ’દિગ્ધ છે એવા દાણુાના કણોની રક્ષા માટે જેનામાં જીવગુણુ ચેતના હોવાનું સ્પષ્ટ છે અને અનુભવસિદ્ધ છે-જે દેખાય છે એવા વનહાથીને મારીને જીવનનિર્વાહ કરવાનું કહેતા એવા તમારા માર્ગમાં વા તમારામાં જીવદયાનો સંભવ કેમ હાઈ શકે ? વળી, એ મારેલા હાથીના માંસની સ્વાભાવિક રીતે સડતી પેશીઓમાં એ માંસની જેવા રૂપરંગવાળા-માંસસમાન જાતીય-જીવાની ઉત્પત્તિ કેમ ન સાઁભવી શકે ? અને આવું ખાવું આ તે રાક્ષસનુ લક્ષ્ય છે. '' "" “ જે માનવ પેાતાના માંસને ખીજાના માંસવર્ડ વધારવા ઇચ્છે છે તે, ગમે ત્યાં ઉદ્વિગ્ન વાસને પામે છે. વળી, માંસ એટલે ‘ માં સ ' છે અર્થાત્‘માં’ એટલે ‘મને’ અને‘સ’ એટલે તે' એનુ તાત્પર્ય એ થયું કે હું' જેનું માંસ અહિં ખાઉં છું, તે મને પરલેાકમાં ખાઇ જશે. આ જાતનો માંસ શબ્દના ભાવ બુદ્ધિમાન લેાકોએ કહી બતાવેલ છે.” આવાં અનેક વાક્યા વડે સ્મૃતિ વગેરે અનેક શાઓમાં માંસનો નિષેધ કરેલ છે. પછી તાપસ બોલ્યુંઃ હે ભદ્ર ! ' "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy