SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ચંદ્રસેનની વિચારણા. : કથાન–કેર : દૂતનું ઉકત કથન સાંભળીને રાજા શૈવાલ બે હે દૂત ! તારે સ્વામી જ સ્વચ્છેદી છે તેથી જ તે આમ જેમ તેમ બેલે છે, ખરી વાત તે એ છે કે આ માટે મને શા માટે કાંઈ કહેવું જોઈએ ? આ રાજપુત્ર તે બિચારા નિર્દોષ છે, એશ્લે એમને પિતા-રાજા જષવાળે છે જે આવા નાનાઓને પણ યુદ્ધક્ષેત્ર ઉપર મોકલે છે. રાજપુત્રે દુશિક્ષિત છે, બહુ બોલકા છે અને તદ્દન વિનય વગરના અત્યંત દુર્વિનીત છે એટલે તેમને સુશિક્ષિત, નમ્ર અને વિનીત કરવા સારુ યુદ્ધમાં મોકલવાને મિષે અહીં ધકેલે છે, અર્થાત્ યુદ્ધનું બીજું બહાનું લઈ તેમને શિક્ષિત કરવા સારુ-શીખવવા માટે તેમને કઈ શિખામણ મળે એ નિમિત્તે અહીં મોકલતો લાગે છે એમ માનું છું. તાત્પર્ય એ કે શિક્ષિત રાજપુત્રો આ બહાને શીખે એ માટે રાજા તેમને અહીં એકલતે જણાય છે, બાકી એ યુદ્ધને લાયક જ નથી. તેથી હે દૂત! તું જા અને તારા રાજાને કહે કે બાળકને જીત એમાં તો મારી નિંદા થવાની. ખરી રીતે તારા પિતા સાથે યુદ્ધ કરવું એ મારે માટે વિશેષ ઉચિત છે. - રાજા શિવાલનું કહેણ લઈને દૂત પાછો ફર્યો અને રાજપુત્ર પાસે પહોંચે. જે હકીક્ત શિવાલે કહી હતી તે બધી તે રાજાને જણાવી. એ સાંભળીને ચંદ્રસેન વિચારવા લાગ્યઅહો ! મેં જે કહેણ મળેલું તે વગરવિચાર્યું હોઈ અનુચિત લેખાય એવું હતું ત્યારે આ સામે શત્રુ છતાં તેણે કેવું સુપ્રસન્ન અને ઉચિત કહેણ મોકલાવ્યું છે? શત્રુ પાસેથી પણ તેઓના શત્રુના પણ ગુણે ગ્રહણ કરવા” એ વાત ખરી છે તો દૂત દ્વારા જે મેં મારે ઉત્કર્ષ પ્રકટ કરાવ્યું તે મેં અયુક્ત કર્યું. સારા કુલમાં જન્મ પામેલાઓ માટે પિતાની પ્રશંસા કરવી એ વિશેષ શરમભરેલી વાત છે. કહ્યું છે કે – ગૌરવશાલી મનુષ્ય ઘણું થોડું થોડું બોલે છે અને તેમનાં કાર્યો ભારે વિસ્તારવાળાં હોય છે. એ જાતની મેટા માણસેની અદ્ભુત પ્રવૃત્તિ વિબુધ લેકને વિસ્મય ઉપજાવનારી છે. ત્યારે અમારી જેવા મુગ્ધ માનવ તેવા પ્રકારનાં કાર્યો કરવામાં અકુશળ હોવા છતાં પિતાની જાતને પિત જ વખાણતા એવા વિફલ મનવાળા કેવી રીતે વિડંબિત કરે છે? તેથી શેવાલ રાજા. મારે શત્રુ છે છતાં એ ગુણવાન છે એમ મને લાગે છે માટે તેની સાથે જેમ તેમ યુદ્ધ કરવું પાલવે તેમ નથી. વગર વિચાર્યું કરેલી પ્રવૃત્તિ વિષ કરતાં પણ વધારે ભયાવહ છે, એમ વિચારીને રાજપુત્ર ચંદ્રસેન એકાંતમાં વિચારવા લાગે, અને બધા પ્રધાનોને લાવ્યા. તેમને પિતાને સર્વ અભિપ્રાય જણાવ્યું. એ વિશે "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy