SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ હથિમકલ અને ભવદેવને ચારિત્ર-સ્વીકાર. * કયારત્ન-કોષ : પેલા પિશાચની હકીકત અને વાત સાંભળીને રાજાના મનમાં ધર્મપ્રવૃત્તિ કરવાની અભિલાષા થઈ. - હવે આ તરફ પેલે ભવદેવ રાજા યુદ્ધમાં હારી ગયે તેથી તેને વૈરાગ્ય આવ્યો અને તેને વિચાર કર્યો કે હાર પામેલ હોવાથી મારો અપયશ ચેલો છે તે હું મારું મેં મારા સ્વજનોને શી રીતે બતાવું? આવા વિચારને લીધે તેણે પિતાને ઘેર જવાનો વિચાર માંડી વાળે અને અધવચ્ચેથી જ તેણે મતિસાગર નામના આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષિત થયેલ ભવદેવમુનિ સૂત્ર અને અર્થો શિખવા લાગે તથા વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરતો કરતે પિતાના ગુરુની સાથે રમ્મપુર નામના નગરમાં આવી પહેંચે. પિતાના નગરમાં આચાર્ય આવેલા હોવાથી તેમના સમાગમ માટે વિશેષ આનંદ પામેલા રાજા વગેરે બધા લેકે તે આચાર્યને વંદન કરવા માટે ગયા. વંદન કરવા આવેલા એ બધા લેકેએ માથે હાથ જોડીને આચાર્યને પ્રણામ કર્યા, અને પોતપોતાની શક્તિ પ્રમાણે અહિંસા વગેરે કેટલાક નિયમ લીધા. એ નગરનો રાજા તે પહેલાથી જ સંસારવાસથી વૈરાગ્ય પામેલે હતો એટલે આચાર્યની દેશના સાંભળતાં જ તક્ષણ રાજાનો વૈરાગ્ય વિશેષ ઉત્તેજિત થયે અને તેનો વૈરાગ્ય ભાવ વધી જવાથી તેને દીક્ષા લેવાનો ભાવ થયે એટલે રાજાએ પિતાના પુત્ર મહીચંદને પિતાની ગાદીએ બેસાડી દીધે, અને તે શિરીષના ફેલ જે વિશેષ કમળ હોવા છતાં અસાધારણ એ શ્રમણભાવને ગ્રહણ કરવા માટે ગુરુ આશ્રયે ગયે. હવે જેણે કામદેવરૂપ મલ્લને પરાજિત કર્યો છે એ હસ્થિમલ્લ પણ સાધુ વિહાર કરવા લાગ્યા અને તેને આ ભવદેવ નામના મુનિએ ઓળખી પણ લીધે. ભવદેવને એમ થયું કે હત્યિમલ્લ મુનિના પ્રતાપને લીધે હું આ દીક્ષા લઇ શક્ય એટલે એ મુનિ મારી દીક્ષામાં હેતુ થયેલ હોવાથી મારે ઉપકારી છે, અને યુદ્ધમાં તેણે મને હરાવી દીધેલ હોવાથી તે મારો અપકારી પણું છે. વખતે એ, યુદ્ધસ્થળ ઉપર આવેલો ત્યારે તેણે મને ભોંઠપ આપી એથી ભવદેવ સાધુને એ હસ્થિમલ્લ સાધુ તરફ ડોક ઢેષ થશે અને તેનામાં અહંભાવ જાગૃત થશે. ભવદેવમાં ઉપજેલે છેષ કે અહંભાવ હમિલ્લના જાણવામાં ન આવ્યું તેમ તે હથિમલ્લ ભવદેવને પિતાનો પૂર્વનો પરિચિત છે” એ રીતે ઓળખી પણ શકે નહિ અને આ રીતે એ બનેનો સમય ચાલ્યા જાય છે. વખત જતાં ભવદેવ સાધુ “ગીતાર્થ” હોવાથી તેની નિશ્રામાં ગુરુએ હસ્થિ મલ્લ વગેરે કેટલાક સાધુઓને સેપ્યા અને એ સંપાએલા સહાયક સાધુઓને સાથે લઈને ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને અપ્રતિબદ્ધપણે અ ભવદેવ મુનિ ગામેગામ વિહાર કરવા લાગ્યા. આમ ચાલતાં ચાલતાં એકલા પેલા હમિલ્લ મુનિનો શુભભાવ ઓછો થવા લાગે "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy