SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] જૈન ચિત્ર હુકુમ ગ્રંથ તે પાસે પહેાંચ્યા અને ત્યાં થોડા સમય માટે કાઈ આર્યે સ્થાવિર છે” એમ સમજીને અવજ્ઞા કરતાં પેાતાને મળેલા સ્થળમાં પ્રવેશ કર્યાં. ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી ખાજુએ સેાનાના સિંહાસન ઉપર સાગરચંદ્રસૂરિ પેાતાના ઉંચા કરેલા જમા હાથમાં મુહુપત્તિ રાખીને, સામે બેઠેલા શિષ્ય અને શિષ્યની પાછળ ઊભા રહેલા આર્ય વિર (કાલકાચાર્ય) ને, તથા ચિત્રમાં નીચેના ભાગમાં બંને હાથની અંજિલ ખેડીને ધર્મોપદેશ શ્રવણ કરવા બેઠેલા અનુક્રમે એ શ્રાવક, એ સાધ્વીએ અને એ શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘને ધર્માદેશ આપતા દેખાય છે. સાગરચંદ્રસૂરિ અને શિષ્યની પાછળ ઊભેલા આર્ય સ્થવિર વચ્ચે ધર્મચર્ચા થતી હોય એમ આર્ય વિરે ઉંચા કરેલા હાથ ઉપરથી લાગે છે. આ ચિત્ર પ્રસંગ જી કોઈપણ હસ્તપ્રતમાં મારા જોવામાં આવેલ નથી. સાગરચંદ્રસૂરિ અને શિષ્યની વચ્ચે સ્થાપનાચાર્યજી છે. વળી મસ્તકના ઉપરના ભાગની છતમાં હુંસપક્ષીની ચિત્રાકૃતિવાળા ચંદ્રરવા બાંધેલેા છે. લક ૪૧ ચિત્ર ૫૫. મહાવીર પાલખીમાં દીક્ષા લેવા જતાં. પ્રતના પાના ૪૯ ઉપરથી. આ ચિત્રની પહેાળાઇ તથા લેંબાઇ ૩૪૩ ઈંચ છે. વાર્ષિક જ્ઞાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના ડિલ ખંધુ નંદિવર્ધનની અનુમતિ લઈ, દીક્ષા લઈ દેવાએ આણેલા ક્ષીર સમુદ્રના જલથી, સર્વ તીથેની માટીથી અને સર્વ ઔષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી તેમના અભિષેક કર્યો, પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણર્જાડત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું શ્વેત વસ્ત્ર શૈાભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝૂલવા લાગ્યા. બાજુબંધ અને કડાંએથી તેમની ભૂજાએ અલંકૃત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણા અને વર્ષોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે ાખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા તથા તારાથી શણગારવામાં આવ્યું હતું. પચાસ ધનુષ્ય લાંખી, પચ્ચીસ ધનુષ્ય પહેાળી, છત્રીસ ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેકડો સ્તંભેાથી શોભી રહેલી અને મણિએ તથા સુવર્ણથી જડિત ચંદ્રલેખા ’ નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યો. તે સમયે હેમંત ઋતુના પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું-કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છાનેા તપ કર્યાં હતેા અને વિશુદ્ધ લેશ્યાએ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તરા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઇને ભદ્રાસન ઉપર ખેડી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકે એ પાલખી ઉપાડી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ચિત્રની જમણી બાજુએ પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઇને બેઠેલા છે. બંને બાજુ એકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકોએ પાલખી ઉપાડેલી છે. પાલખીની આગળ એ માણુસા ભૂગળ વગાડતા અને તે બંનેની નીચે એ માણસેા જોરથી નગા "Aho Shrutgyanam"
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy