________________
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
આપે એવા છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, એરાતાં, વેચાતાં વધેલે પણ સંસ્કૃતિને આ થાળ એટલા બધા સમૃદ્ધ છે કે આજના કલ્પનાકૃતિ (designs) માગનારાએની ભૂખને તે સહજમાં સંતોષે છે,
ے
ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હાંસીઆમાં એક ખૂણા પર લહીઓએ ચિત્રપ્રસંગની ટૂંકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરૂં કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતા હરશે; એટલે ચિતારા કવિતાની પાદપૂર્તિની પેઠે પ્રસંગના સૂચક આકારાવાળી વેલપટ્ટીએ અને ચિત્રા ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમાં બંધાતી આવે તેવી રૂપ અને આકૃતિમાળાઓની સમતોલ વહેંચણી કરતા તે છેવટના પાના સુધી પાઢ અને ચિત્રાને એકસરખા રસ સાચવી લે છે. આવી એકધારી યેાજનાવાળાં પ્રકાશને આજના સાધનસંપન્ન યુગમાં પશુ વિરલ છે,
ધાર્મિક ચિત્રામાં કથાપ્રસંગનાં પાત્રાનાં સ્વરૂપે આદ્ય કલાગુરુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાને સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતે હાય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવા પ્રકાર નજરે પડે છે. છતાં ચિત્ ચકાર કળાકારે નવી મૈિં અને છટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાંજ્યાં કંઇક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છેત્યાંત્યાં તે તેમણે અવશ્યછૂટ લઇને પોતાને સમાજ ઉતાર્યો છે. શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. (જુએ નં. ૨૮૨થી ૨૯૭) આ ચિત્રાની ચિત્રકળાની કદર કરતાં સાથેસાથે તેમણે જે સાહિત્ય * અને ક્રિયાએથી આ પ્રતા તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણાવે ોઇએ. તાડપત્રને ચૂંટીને ચિત્ર યેાગ્ય સફાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગો ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાતેા આજના કલાકારને મહાન ભેદો જ રહેવાની, આજે ચિત્રના ચિરંજીવા માટે સાધના કે રંગોની લેશમાત્ર પરવા ફાઈ રાખતું નથી. તેને સેંકડ વર્ષોથી તેમના સર્જકોની પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે, આ બાબતમાં તો કુશલ વૈજ્ઞાનિકો, કલાકારો અને પ્રાચીન શાસ્ત્રવિશારદાનું મંડળ એકાગ્ર થઇ કામે લાગે તા જ પુનરુદ્ધાર થઇ શકે.
જૂનાં ચિત્રો બધાં ચે સરખી ઉચ્ચ કક્ષાનાં નથી. છતાં યે દરેક ચિત્રકાર વૃત્તાંતની સચ્ચાઇ અને ચિત્રનું ચિરંજીવપણું સાચવવાના પ્રયત્ન કર્યા વિના તો રહ્યો નથી. ગમે તેવાં કાલ્લાં ખેાબડાં લાગતાં આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણુ અને કેટલાક આકારેનાં ખોખાં બરેાબર સચવાયાં હાય છે. એટલે આપણને વૃત્તાંતને ઉકેલ જરાયે મુશ્કેલ પડતા નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરે, ઉપસ્ફા વગેરેના સારામાં સારા ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તા આમાં મળી શકે.
આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમાય એવી * સાહિત્યા અને ક્રિયા માટે જીએ મુનિશ્રી પુણ્યવિજયજીના ‘ભા. જૈ, બ્ર. સંસ્કૃતિ અને લેખનકળા' વિષેના લેખ.-સંપાદક