________________
ચિત્રવિવરણ
२०७ પ્રાચીન સમયમાં સાધુઓને ચાલુ ઉતારે સુંદર બગીચાઓમાંજ આપવામાં આવતું હતું. આ ચિત્રમાં પણ પાછળમાં ભાગમાં સુંદર વિવિધ જાતની ઝાડી, પક્ષીઓ, ઝાડ પર ચઢતો વાંદરો, વગેરે બનાવવામાં ચિત્રકારની કલમ એટલી બધી ભાવદર્શન કરાવનારી લાગે છે કે આ ચિત્ર જોતાં જ જાણે આપણે ચિત્રકારના જમાનાના બગીચામાં વિહરી રહ્યા ન હોઇએ એવી ભ્રમણ એક ક્ષણ વાર તો આપણને થાય છે.
Plate LXXXIX ચિત્ર ૨૬૮ શ્રી મહાવીર પ્રભુનું સમવસરણું. ચિત્રની મધ્યમાં અશોક વૃક્ષ ચીતરેલું છે. અશોકવૃક્ષની નીચે ચારે દિશામાં પ્રભુ મહાવીર બિરાજમાન થએલાં છે. મહાવીરની મૂર્તિની નીચે તેમને લાંછન તરીકે ચારે દિશાના પબાસનમાં સિંહ ચીતરેલા છે. સમવસરણના ત્રણ ગઢ છે, તેમાં પહેલા ગઢમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચીતરેલાં છે. બીજા ગઢમાં સિંહ, હાથી, ઘેડા, કુતરા, ગાય, સર્ષ વગેરે પશુઓ તથા ત્રીજા ગઢમાં બેસવાનાં વાહનો, રમુખપાલ વગેરે પણ ચીતરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવો જુદી જુદી જાતનાં જાનવરોનાં વાહન ઉપર બેસીને સમવસરણ તરફ આવતાં દેખાય છે. જમણી બાજુથી એક દેવ વિચિત્ર પ્રકારના (Dragon) જાનવર પર સ્વાર થઈને આવતા દેખાય છે, આવું જાનવર ભારતના પ્રાચીન ચિત્રમાં કોઈપણ ઠેકાણે દેખવામાં આવતું નથી. ડાબી બાજુથી એરાવત હાથી પર બેસીને ઇંદ્ર આવતો દેખાય છે. અત્રે ચિત્રમાં ઐરાવત હાથીની સાત સૂદ્ધના બદલે ચાર સઢ ચિત્રકારે ચીતરેલી છે. બીજા દેવો પણ આવતાં દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુ તરફથી સુખાસન-પાલખીમાં બેસીને ભદ્રામાતા પ્રભુ મહાવીર તથા પુત્ર શલિમુનિને વંદન કરવા આવતાં દેખાય છે, અને ડાબી બાજુ તરફથી મહારાજ શ્રેણિક ઘોડા ઉપર વાર થઈને સમવસરણ તરફ આવતા દેખાય છે. તેમની આગળ નેકી પકારાતી તથા પાછળ અમર વીંઝાતી દેખાય છે. પ્રાચીન શ્ચિામાં આવી જાતનું વિસ્તૃત વસ્તુનિર્દેશ કરતું સમવસરણનું ચિત્ર આ પહેલું જ મારા જોવામાં આવ્યું છે.
Plate XC
સંગ્રહણી સૂત્રનાં ચિત્રો ચિત્ર રર દશ ભુવનપતિના ઈ.
મુગલ ચિત્રકળાની અપ્રતિમ સંગ્રહણી સૂત્ર'ની પ્રતમના ૧૪ ચિત્રોમાંથી નવ ચિત્રો
જુગલ કિશાન અત્રે રજુ કરવામાં આવ્યાં છે.
અસુરકુમારાદિ ભુવનપતિ નિકાયના દેવોનાં ચિહ્ન વગેરે નીચે પ્રમાણે છેઃ દેનાં નામ ચિ મુગટમાં શરીરને વર્ણ
વસ્ત્રને વર્ણ ૧ અસુરકુમાર
ચૂડામણિ
સ્યા ૨ નાગકુમાર
31
સર્ષ
નીલ