________________
ચિત્રવિવરણ
૧૭૯ ત્યાં આવી પહોંચ્યા ને ગુરુનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં-પ્રભાતમાં જ સુકાળ થ.
ચિત્રમાં ઉપર વચ્ચે અને નીચે એમ ત્રણ પ્રસંગે છે, કથાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિંડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વજુસ્વામીજી બેઠાં છે. સામે પત્રમાં વિદ્યાપિંડ હેય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મધ્યેના એકેક પાત્રમાં તેઓ વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરનો વજીસ્વામી તથા તેઓના શિયોને અનશનને પ્રસંગ જોવાને છે, ત્યાર પછી સૌથી નીચેનો ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઇને લક્ષમૂલ્યના ચોખ--ભાત વહોરાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાલી ચડાવેલી છે. વજસેન મુનિના પાત્ર નીચે આહારને છાંટો-બિંદુ જમીન ઉપર પડીને તેના અંગે ની વિરાધના થવા ન પામે તે માટે થાળ મુકે છે. વાસેન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઉભેલ છે. ચિત્ર ૨૨ પુરતાલેખન. કાંતિવિ. ૧. પાના ૮૪ ઉપરથી. વિરનિર્વાણુ સંવત ૯૮૦ વિ.સં. ૫૧૦ (ઇ.સ. ૪૫૩)માં દેવર્કિંગણિ ક્ષમાશ્રમના આધિપત્યપણું નીચે આગામો પુસ્તકા થયાં.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનને ચિત્રથી થાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે સામે બે સાધુએ તથા બે શ્રાવકે હસ્તની અંજલિ જોડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેને પુસ્તક સુધારવાની પદ્ધતિના પ્રસંગ જોવાનો છે. ગુરુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિવને હાથમાં ભીભાજન પકડેલું છે. પંદરમા સૈકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથ સુધારણા પદ્ધતિને સુંદર પુરાવે આ ચિત્ર આપણને પુરા પાડે છે.
Plate LXXI LXXII and LXXIII ચિત્ર ૨૩૦-૩૧૦-૨૩૨ કપત્તનાં સુશોભન. હંસવિ. ૧ ની પ્રતના સુશોભન કળાને સુંદર નમૂનાઓ.
Plate LXXIV ચિત્ર ૨૩૩ વિ. ૧ ના પાના ૨૯ ઉપરથી. ગર્ભ નહિં ફરકવાથી ત્રિશલાનો શાક
શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન ન થતાં નિષ્પદ અને નિકંપ થયા. પોતાનાં અંગે પગને એવી રીતે ગોપચાં કે માતાને જરાપણ કષ્ટ ન થાય.
માતાનું હૃદય-અનહદ ચિતા પ્રભુ નિમલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારે ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તો અકસ્માત મૃત્યુ પામ્યા; કાં તો તે ચવી ગયો અને કાં તે ગળી ગયે. એવી એવી અનેક શંકાએ માતાના હૃદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે