________________
ચિત્રવિવરણ
૧૩૯ Plate XXVII ચિત્ર ૨ સ્વજનો અને રાજા સિદ્ધાર્થ. ઇડરની પ્રતિમાંના પાના ૪૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૩૩ ઇંચ છે. મહાવીરના જન્મ મહોત્સવના બારમા દિવસે અશન-પાન ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રો, જ્ઞાતિજને, પિતરાઈઓ વગેરે સ્વજનો, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજનો અને સાત કુળના ક્ષત્રિયોને ભેજનને માટે નિમંત્રણ આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજન બેઠા છે, તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી-ઘણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણ બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબે પુ ચાર લાઈનમાં કુલ મળીને આઠ પુ સિદ્ધાર્થની સામે બેઠેલા છે, તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરને વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડવા માટેના પિતાના ભરથે દર્શાવે છે. ચિત્ર ૩ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ રફેર ઇચ છે.
શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું, તેઓ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળનાં ભજન પહેલાં એક કરોડને આઠ લાખ સોનેયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અભ્યાસી કરોડ અને એશી લાખ સોનિયા દાનમાં ખર્ચા દીધા.
ચિત્રમાં મહાવીર સિહાસન ઉપર બેઠેલાં છે અને જમણા હાથે સોનૈયાનું દાન આપે છે, હાથમાં એક સોને અંગુઠો અને તર્જની આંગળીથી પકડેલો દેખાય છે. મહાવીરનો જમણો પગ સિંહાસન ઉપર છે અને ડાબો પગ પાદપીઠ ઉપર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિનો સમય થવા આવ્યો છે, આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછો સહિત ચિત્રકારે ચીતરેલાં છે. મહાવીરની નજીકમાં ત્રણ પાયા વાળી ટીપઈ ઉપર સુવણેને થાળી મુકેલા સ્પષ્ટ દેખાય છે, મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામધારિણી સ્ત્રી મહાવીરને ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે, ઉપરની છતના ભાગમાં ચંદરો બાંધે છે, ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર ઉમ્મર લાયક માણસો કુલ મળીને પાંચ વ્યક્તિએ દાને લેવા આવેલી દેખાય છે. ચિત્ર ૯૪ દીક્ષા મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી ચિત્રનું કદ ૨૩૨૩ ઈચ છે.
વાર્પિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પોતાના વલિ બંધ નંદિવર્ધનની અનુમતિ લઈદેવોએ આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સકલ ઔષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી તેમનો અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાવાયી વવડે શરીરને લૂંછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું, પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉત્પળ અને લક્ષમૂહથવા તવસ્ત્ર શોભવા લાગ્યું, વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝુલવા લાગે, બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કુંલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણ અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા-પતાકા