________________
૧૦૮
જૈન ચિત્રકલ્પદ્રુમ નિર્યુક્તિ; પત્ર ૮૪થી ૧૩૨ શ્રીપિંડનિયુક્તિ; પત્ર ૧૩૩થી ૧૭૩ શ્રીદશવૈકાલિક; પત્ર ૧૭૪થી ૧૯૧ પકખી સૂત્ર તથા ખામણાસૂત્ર; પત્ર ૧૯૨થી ૧૯૭ શ્રમણુસૂત્ર; પત્ર ૧૯૮થી ૨૨૭ યતિ દિનચર્યા. પ્રત્યેક પત્રનું કદ ૧૪ ઈંચ ૪૨ ઈંચ છે.
આ પ્રતમાં સોળ વિદ્યાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અંબાઈ (અંબિકા) બ્રહ્મશાંતિ યક્ષ તથા (તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને અધિષ્ઠાયક) કપર્દિયક્ષ મળી કુલ ૨૧ ચિત્ર છે. જૈન મૂર્તિવિધાનશાસ્ત્ર (Iconography)ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્ત્વની છે. જેનમંત્રશાસ્ત્રમાં જાણીતી સોળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્ર (અગર મૂર્તિઓ) આ પ્રત સિવાય બીજો કોઈ પણ સ્થળે હોવાનું મારી જાણમાં નથી, કે દેલવાડાના વિમલવસહીના જિનમંદિરના રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે કોતરેલી સોળ વિદ્યાદેવીઓની સ્થાપત્ય મૂર્તિએ આગળ (ચિત્ર નં. ૩૭માં) રજુ કરી છે; પતુ પહેરવેશ તથા આયુધનો જેવો સુંદર ખ્યાલ આ ચિ આપે છે તેવો તે સ્થાપત્યમૂર્તિઓ આપવામાં સફળ નીવડી શકે તેમ નથી. આ સોળ વિદ્યાદેવીઓને કેટલાકો તરફથી સરસ્વતીનાં સેળ જુદાં જુદાં સ્વરૂપ તરીકે કલ્પવામાં આવી છે તેમ માનવાની કાંઈ જરૂર નથી. વાસ્તવિક રીતે તો આ સેળે વિદ્યાદેવીઓ જુદીજુદી વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીએ છે અને તે તેના જુદાજુદા મંત્રો છે. અત્રે એ ચર્ચાને સ્થાન આપતાં બહુ જ વિસ્તાર થઈ જાય તેમ હોવાથી અને યથાસમયે તથા યથાસાધને આ સોળ વિદ્યાદેવી, સરસ્વતી અને લક્ષ્મીદેવી ઉપર જુદાજુદા વિસ્તૃત નિબંધ લખવાનો મારો વિચાર હોવાથી ચિત્રમાં આપેલા વર્ણનો અને તેના મંત્રાક્ષ માત્ર આપીને સંતોષ માનવો પડ્યો છે. ચિત્ર ૧૧ રહિણી–વિદ્યાદેવી ૧; મંત્ર કે ચાં રોળેિ એ નમઃ ; પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરનારી તે રહિણીઃ પ્રતનું પાનું ૨: ચિત્રનું મૂળ કદ ૨૪૨ ઈચ; ચાર હાથઃ પૃષ્ઠભૂમિ રાતા સી રંગની; ઉપરના જમણા હાથમાં બાણ અને ડાબા હાથમાં ધનુષ તથા નીચેના જમણા હાથમાં વરદ તથા ડાબા હાથમાં શંખ; ગાયના વાહન ઉપર ભદ્રાસને આરૂ4; શરીરનો વર્ણ સુવર્ણ; મુકુટનો રંગ પીળો; લાલ રત્નથી જડિત; કંચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્રમાં લાલ અને લીલા રંગનો ઉપયોગ. ચિત્ર ૧૭ પ્રજ્ઞપ્તિ-વિદ્યાદેવી ૨; મંત્ર ઈ પ્રજ્ઞ નમ: ; જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે તે પ્રજ્ઞપ્તિ; પ્રતનું પાનું ૨, ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠ ભૂમિ લાલ; ચાર હાથ; ઉપરના બંને હાથમાં શક્તિ, નીચેના બંને હાથ વરદ મુદ્રાએ; શરીરને વર્ણ સુવર્ણ; મુકુટને વર્ણ પણ સુવર્ણ, કંચુકી સફેદ; ઉત્તરીય વસ્ત્રના સફેદ રંગમાં વચ્ચે કાળા રંગની ચેકડીઓ અને કાળી ચેકડીઓમાં પીળા રંગની
isang (1) 'The Goddess of Learning in Jainism' Page 291 to 303 by B.C. Bhattacharya in Malavia Commemoration Volume Benares 1932.
(૨) “વૌઠું મૌર જૈન ધર્મમં -કપાસનાં નામના વસ્ત્રાના રજિ-અદના લેખમાં દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા પૃષ્ઠ પ૪૯ ઉપર જણાવે છે કે “સરસ્વર્તી સ્ત્ર વિદ્યાગૂઢ માને ગતિ હૈ” એમ કહીને ઉપપ્ત સેળ વિશ્વદેવીઓનાં અનુક્રમે નામે આપે છે.