________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્ર અને સંપતિનો સંપૂર્ણ બેગ આપ હોય તેમ ચિત્ર જોનારને ખ્યાલ આવે તેમ છે; તેપણું વિષય સંબંધી સંપૂર્ણ જ્ઞાનના અભાવે કોઈ કોઈ સ્થાને ચિત્રમાં ખલનાએ થયેલાં છે જેની નોંધ ચિત્રવિવરણમાં આપવામાં આવેલી છે.
આવું ઉત્તમ ચિત્રસાહિત્ય એકત્ર કરવું, સંકડો વર્ષોની પ્રાચીન પ્રતિઓમાં વર્તતાં તે ચિત્રા ઉપરથી કો ઉતારી એ જૈનોની પ્રાચીન ચિત્રક્ષાને પુસ્તકરૂપે પ્રકાશમાં લાવવી એ યદ્યપિ ઘણું જ દુર્ધટ કામ છે, સાધનસામગ્રી અને સહકારની સંપૂર્ણ સહાનુભૂતિની અપેક્ષા એ પ્રકાશન અવશ્ય રાખે છે અને એવાં પ્રકાશનોમાં અનેક આડખીલીઓ પણ નડે છે, તો પણ પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવી જૈનત્વના ગારવને જગત સમક્ષ રજુ કરવાની તમન્નાવાળા મહાશયો હરકોઈ ઉપાયે સર્વાંગ સહાનુભૂતિને સંયુક્ત કરવા સાથે આડે આવતી અંતરાયની દીવાલોને પણ દૂર કરી કાર્યસિદ્ધિ કરે છે તે ઘણું જ પ્રશંસનીય અને અનુકરણીય છે. શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે આ પ્રકાશનકાર્યનો મહાન બન્ને પિતાના શિરે ઉપાડ્યો છે. પ્રાથમિક સંગેમાં સાધનોનો સહકાર સર્વદેશીય ન બનવા છતાં, વિનપરમ્પરાએ સન્મુખ ખડી છતાં, તેઓના હાર્દિક ઉત્સાહ અને આત્મિક પ્રબલ વાયલાસે સાધનાને સર્વદેશીય બનાવ્યા, વિખપરમ્પરાઓ વિરામ પામી અને એક અસાધારણ પ્રાચીન નમૂનેદાર જૈન ચિત્રકલાને પ્રકાશન આપ્યું તે સર્વ માટે તેઓ અનુમોદનાને એગ્ય છે,
આપણે જૈન સમાજમાં તૈયાર થએલા કાર્યને સર્વોઈ ચાહે છે, યથાશક્તિ તે કાર્યને ગ્રાહક થાય છે અને કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યકર્તાની પીઠ પણ થાબડે છે; પરંતુ એ કાર્યના પ્રારંભમાં કાર્ય પૂર્ણ કરવા-કરાવવાની ચાહના, કાર્યના ગ્રાહક થવાની અભિલાષા અને કાર્ય કરનારની પીઠ થાબડવાના પ્રયત્નોમાં ઘણી જ પીછેહઠ અનુભવાય છે એ ઘણું શોચનીય છે. અંતમાં એટલું જ કહેવું યોગ્ય છે કે આવા સાહિત્યપ્રેમીઓને જૈન સમાજ સર્વ સાધનોથી વિશેષ પ્રકાશમાં લાવી અન્ય પુરાતન સાહિત્યના પ્રકાશનમાં સાથ આપવા સદા હામ ભીડે અને શાસનાધિષ્ઠાયક દેવ જૈન સમાજના અગ્રણીઓમાં તેવી પ્રેરણાત્મક ચેતનશક્તિ રે એ જ હૃદયેચ્છા !
મુનિ શ્રીધર્મવિજયજી આ ગ્રંથમાં રજુ કરવામાં આવેલાં “બહત સંગ્રહણીસૂત્રનાં ચિત્રો’ મુગલ સમયની ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના રૂ૫ છે. મુગલ સમયમાં જ્યારે પશ્ચિમ હિંદની ચિત્રકલા સ્વચ્છતા, સુંદરતા અને વિવિધતામાં સંપૂર્ણ અંશે વિકસેલી હતી તે સમયના જૈન ગ્રંથસ્થ ચિત્રકલાના નમૂનાઓ બહુ જ ઓછા જોવામાં આવે છે. સભાએ અત્રે રજુ કરેલાં ચિત્રની પ્રત અમદાવાદમાં ભરાએલા શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન કલાવિભાગમાં મારા જેવામાં પ્રથમ વાર આવી. ત્યાર પછી તે પ્રત સિનેર બિરાજતા પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રીઅમરવિજ્યજીના સંગ્રહની હોવાથી પાછી મેકલવામાં આવી, પરંતુ તેઓના વિદ્વાન સાહિત્યસેવી પૂજ્યશ્રી ચતુરવિજયજીએ આ પ્રત મારા આ પ્રકાશન માટે મને મેલાવી અને તેનાં ચિત્રે લેવા માટે તેમના તરફથી મને મંજુરી આપવામાં આવી તે માટે તેઓશ્રીનો આભાર માનું છું.
---સંપાદક