________________
સંગ્રહણી સૂત્રનાં ચિત્ર ૨૭૩ ગાથાઓને સમૂહ દષ્ટિપથમાં આવે છે. આ પ્રમાણે પ્રકાશન પામેલું મુદ્રિત સંગ્રહણી સાહિત્ય પણ ભિન્નભિન્ન પ્રણાલિકામાં ભિન્નભિન્ન ગાથાઓમાં હસ્તગત થાય છે. તે ઉપરાંત અપ્રગટ હસ્તલિખિત બહતસંગ્રહણી સાહિત્યના ભિન્નભિન્ન ક્રમ ઉપર લખવા બેસાય તો ઘણું જ વિસ્તાર થવાનો ભય રહે છે અને એથી જ આ વિષયને અહીં સંક્ષેપી લેવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી લક્ષ્યદીપિકા બૃહતસંગ્રહણું સાહિત્ય અનેકધા પ્રાપ્ત થાય છે તોપણ એ બહતસંગ્રહણીસત્રના મૂલકાર મહર્ષિ કોણ છે? બહાસંગ્રહણી સાહિત્યમાં જે વૈવિધ્ય જોવામાં આવે છે તે વિધુ થવામાં થાક્યા હેતુઓ છે? ભિન્ન રચનાત્મક એ સાહિત્યના કર્તા પ્રત્યેક સ્વતંત્ર રીતે જુદા છે કે અમુક ફેરવાર કરવા માત્રથી જ જુદા છે? એ જ બહાસંગ્રહણી સાહિત્યમાં આટલી આટલી વિવિધતા જોવામાં આવે છે તેમાં મુખ્ય ઉદેશ શો હોવો જોઈએ ? ઇત્યાદિ અનેક વિષયો ઉપર યતકિંચિત્ ઉહાપોહ કરવો અહીં અસ્થાને–અપ્રાસંગિક નહિ જ ગણાય.
વૈલોક્યદીપિકા નામક શ્રીબહતસંગ્રહણવિસૂત્રના મૂલ પ્રણેતા ભાષ્યકાર ભગવાન શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણ મહારાજ હોવાનું સુપ્રસિદ્ધ છે. અને સર્વ સંગ્રહણીઓની અપેક્ષાએ તે સંગ્રહણીસૂત્રનું ગાથા પ્રમાણ પણ વધારે જોવાય છે. શ્રીજીવાભિગમસૂત્ર તેમજ શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા)સૂત્રના રચયિતા મુતજ્ઞાનીમહર્ષિઓએ જે વિષયને ઘણું જ વિસ્તારથી તે તે સૂત્રોમાં આલેખે છે, તે જ વિષયના સંક્ષેપ રૂપે ભગવાન શ્રી ભાણકાર મહારાજે એ બાજીના કલ્યાણના અર્થે શ્રીસંગ્રહણીસૂત્ર (ત્રિલોક્યદીપિકા)ની રચના કરી હોવાનું અનુમાન સંગ્રહણીમાં અને તે તે ઉપાંગ સૂત્રમાં આવતા વિષયોથી થઈ શકે છે. ત્યાર બાદ અનેક સંગ્રહણીઓ રચાએલી હેવાન સંભવ વર્તમાનમાં ઉપલબ્ધ થતી તેવીતેવી પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી માની શકાય છે; પરંતુ વર્તમાનમાં પાઠયક્રમમાં પ્રસિદ્ધિ તો ભાગ્યકાર ભગવાન શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજ અને વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા મલ્લધારી શ્રીચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રણીત બે સંગ્રહ સુની જ છે. એ બંને સંગ્રહણીસૂત્રની ગાથાઓ લગભગ ભિન્નભિન્ન છે. ભાગ્યકાર મહર્ષિની આદ્ય ગાથાનું પદ “મિવિર શર્મ્સ વી નમિ છે અને શ્રીચંદ્રસૂરિશેખર સંકલિત સંગ્રહણીની આદ્ય ગાથાનું પદ “મિ ૩ મતિર્િ છે. બાકીના શ્રી સંગ્રહણીસૂત્ર સંબંધી જે જે પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત યા મુકિત આદર્શો ઉપલબ્ધ થાય છે તે સર્વે આદર્શોને અમુક અમુક ભાગ સિવાય ઉપરના બંને સંગ્રહણીસૂત્રમાં અંતર્ભાવ થઇ શકે છે એમ તેના વાચકને જણાયા વિના રહેતું નથી. સ્વતંત્ર કૃતિકાર તરીકે જે કોઈ પણ મહર્ષિઓ હોય તો પ્રાયઃ ભાષ્યકાર મહારાજ અને શ્રીમાન ચંદ્રસુરીશ્વરજી મહારાજ છે. બાકીની સર્વ કૃતિઓ સ્વતંત્ર કૃતિઓ હોય તેમ અનુમાન થવું મુશ્કેલ છે. ફક્ત તે રાંગ્રહણીસુત્રના પઠન પાઠનની બહુલતાને અંગે પઠન-પાઠન અને લેખન વખતે અન્ય સ્થળે વર્તતી કેટલીક ઉપયોગી ગાથાઓને યોગ્ય સ્થળે નિવેશ કરવામાં આવ્યો હોય અને તેથી ગાથાની સંખ્યામાં ભિન્નભિન્ન રીતિ દૃશ્યમાન થતી હોય તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. એટલું તો લગભગ ચોક્કસ છે કે સંગ્રહણીના મૂલ ઉત્પાદક-પ્રણેતા ભાખ્યકાર મહારાજ છે અને ભાષ્યકાર પ્રણીત સંગ્રહણી ઉપરથી અથવા ઉપાંગ ભૂતસૂત્રો ઉપરથી ચંદ્રસૂરિ મહર્ષિએ નવીન સંગ્રહણીની