________________
જૈન ચિત્રકઃપદ્રુમ કેટલાક સૂચન કરે છે પણ એમ કરવું એ આખી મને રમ કપનાને અને કલામય સંજનાના કલાતત્વને હણી નાખવા બરાબર છે. નવ નારી કુંજર : શકયતા સંજનાચિત્રાની વ્યાવહારિક શકયતા કેટલી હશે એ પણ કેટલાકનો પ્રશ્ન છે. નારીકુંજર જેવી ગોઠવણી માત્ર કલાકારના મનના સંતોષ પૂરતી જ શકય ગણવી, કે સરકસના મલ્લ જેમ અંગમરોડની કલા સાધીને અવનવા અંગખેલના પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે તેમ અશ્વ અને કુંજરની આકૃતિઓ તેવી રીતે પણ સાધ્ય છે તે તો પ્રયોગ થયે જ જાણી શકાય. વિરાટ સવરૂપની સયોજના ઉપર ગણાવી ગયા તે બધી સંજનાઓ પૃથફ પૃથફ જેવાથી આપણને તેની કલામયતાનો આનંદ મળે છે. પરંતુ શ્રીમદ્ભગવદ્દગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે એ દર્શનમાં સર્વ પ્રકારની સંજનાઓ કેંદ્રિત થએલી જણાય છે. વિરાટ રષ્ટિમાં એકલી દેવ અને મનુષ્ય જ નહિ પણ પ્રાણીસૃષ્ટિને પણ સમાવેશ છે.
આ ભાવનાને મૂર્તિમંત કરનારું એક અપૂર્વ ચિત્ર વડોદરાના ગ્રામ્ય વિદ્યામંદિરના ચિત્રસંગ્રહમાંના સચિત્ર પચરન ગુટકામાં છે. તે સંજનાકલાના કલશરૂપ છે. એ ચિત્રમાં, પ્રાણકુંજર અને પ્રાણી-ઊંટમાં છે તેવા પ્રકારની સસલાં અને ઉંદરની આકૃતિઓ વિરાટ ભગવાનના પગમાં બતાવી છે. માથા તરફ જોતાં અનેક માનવ મુખે ઉપરાંત સિંહ, વાઘ, હાથી, ગાય, ભેંસ, કુતરું, શિયાળ વગેરે પ્રાણીસૃષ્ટિની મુખાકૃતિઓ પણ વિરાટ ભગવાનની મહાકાયમાં ચિત્રકારે બતાવી છે. પ્રભુની કલામયતા
અને પ્રભુની કલા આગળ મનુષ્યના કલા-પ્રયત્નો હાસ્ય ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્ય નથી; કારણકે જગતને મેટામાં મેટો કલાધર તો પરમાત્મા જ છે. મનુષ્ય બહુબહુ તે તેની કલાનાં અનુકરણ કરી પિતાના મનને સંતોષ આપી શકે છે. વિશ્વ જેટલું મહાન અને ભવ્ય સર્જન તે સર્જનહારનું જ કહેવાય.૨૬
મંજુલાલ ૨. મજમુદાર
૨૬ આ લેખમાં ગુજરાતી ચિત્રકલાનાં ઉદાહરણે આપતી વખતે જૈનેતર કે જેનાશ્રિત એવો ભેદ રાખ્યો નથી, ચિત્રકલાના વિભાગ ધર્મ પ્રમાણે પાડવા એ ભ્રમ છે, ભેગેલિક વિભાગ દ્વારા જુદી જુદી કલાનાં સર્જનને ઓળખાવી શકાય તેવું વર્ગીકરણ ઇ છે.