SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનબાલાની કથા [ ૪૧ ] ભાલાની અણીથી રોટલે ભેંકીને આપે છે, કોઈ પ્રણામ કરીને આપે છે, તે પણ હવામી પિતાના હાથ લાંબા કરતા નથી અને પાછા વળી જાય છે, પરંતુ પિતાને નિયમ છોડતા નથી. ત્યારે મૃગાવતી રાણી, રાજા, શેઠ વણિક લોક, સાર્થવાહ અને સર્વ લોકો અતિ દુઃખમાં આવી પડયા, ચિંતા કરવા લાગ્યા, હંમેશા શોકસાગરમાં હબી ગયા છે. આ બાજુ શતાનિક રાજા ચંપાનગરીના રાજા ઉપર એકદમ ધાડ પાડવા નીકળે, માર્ગમાં વિરામ લીધા વગર એક ત્રિમાં આવી ગયે અને ચંપાનગરીને ઘેરીને પિતાના સૈનિકો પાસે ઘોષણા કરાવી કે, નગરને ફાવે તેમ લૂંટી લો. એકલા અંગવાળે દલિવાહન રાજા ત્યાંથી નાસી ગયો. ઘડા, હાથી, કાંચા વગેરે કોષ સર્વ લુંટવા લાગ્યા. એક સૈનિક હાથમાં ધારિણું રાણી તથા તેની પુત્રી વસુમતીને પકડી લાગે. કૌશાંબી માં લોકોને કહેવા લાગ્યું કે, આ મારી પ્રાણપ્રિયા થશે, એ સાંભળી ચેટકપુત્રી ધારિણીને પિતાના શીલને કલંક લાગશે એ આઘાત લાગતાં, તેનું હૃદય ફાટી ગયું અને પરલોકે ગઈ. એટલે તે સેનિક પતા કરતાં વિચાર કરવા લાગ્યો કે, “આ પુત્રી આ વાત સાંભળીને આત્મહત્યા કરશે.” એટલે વસુમતીને મધુર વચનથી આશ્વાસન આપતા કહેવા લાગ્યો; જેથી બાલિકાને શેક ચાલ્યો ગયો અને કોઈ પ્રકારે વિવિધ પ્રકારની સુંદર વસ્તુઓથી તેને સમજાવી પિતાની કરી લીધી—એમ કરતાં તે કૌશાંબી પહો પુત્રીને હાટમાર્ગમાં ઉભી રાખી અને કોઈ પ્રકારે ઘણું ધન મળે તેમ તે સેનિક પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાં બનાવહ શેઠે કામદેવના બાણષ્ટિ સમાન સુકમાલ ગૌર વર્ણયુક્ત અને પાતળી કાયાવાળી જાણે ચાલતી સારી વર્ણવાળી સુવર્ણની પૂતળી હોય, એવી બાલિકાને દેખીને શેઠ ત્યાં પહેરવ્યા. જેમ પિતાની પુત્રી, હોય, તેમ તેના ઉપર મમત્વભાવ થયે. તેનું મૂલ્ય નક્કી કરી તેને સ્વીકારી લીધી તેના પુણોદયથી જ જાણે પ્રાપ્ત થઈ હોય એવી તેને પિતાના ઘરે લઈ ગયો. ભરપૂર કુટિલ શ્યામ અતિ લાંબા કેશવાળી તે બાલિકાને શેઠે નિરંતર પુત્રી રહિત એવી પિતાની મૂલા નામની પ્રિયાને અર્પણ કરી. પિતાના ગુણેના પ્રભાવથી સમગ્ર નગરલોકોને પ્રગટપણે અતિ કુરાયમાન ઉત્તમ પ્રમોદ પમાડ્યો–એટલે તેણે હિમ કરતાં પણ અતિશીતલ જગતમાં પ્રસિદ્ધ એવું તેનું “ચંદના” નવું નામ પ્રાપ્ત કર્યું. આ બાલિકા ભુવનમાં સર્વને પ્રિય થઈ ગઈ છે અને જગતમાં સુંદર રૂપવાળી અને ગુણિયલ ગણાય છે, તે મૂલાશેઠાણીના મનને સુહાતું નથી. આકાશમાં જ્યારે સૂર્ય ઝળહળતું હોય, ત્યારે કોઈ સ્થળે ઘુવડ આનંદ પામતું નથી. જ્યારે મૂલા શેઠાણ ચંદનાનું સારભૂત સૌભાગ્યના ઘરમાન નવીન રૂપની રેખા વરૂપ રૂપ દેખે છે, ત્યારે ચિત્તમાં પ્રાયકો પાડીને વિચારવા લાગી કે, “ધનશેઠ જરૂર આને પિતાની પ્રિયા કરશે.” જે આ ચંદના શેઠની પત્ની થશે, તે માટે મરણના જ મને રથ કરવા પડશે. જે ખીર ખાંડ ખજૂર ખાય, તેને તુચ્છ ભેજનમાં કોઈ દિવસ મન જાય "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy