SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ [ 608 ] પ્રા. ઉપદેશમાતાને પૂજાનુવાદ થોડા સમય પહેલા આમ મોદ્વારક-પ્રવચન શ્રેણને પ્રથમ વિભાગ પ્રકાશિત થયેલ હતું, ત્યાર પછી તેના અનુસંધાનરૂપે આ પ્રવચન શ્રેણી વિભાગ બીને અને ત્રિી તથા વિભાગ 4-5 પણ નવા વ્યાખ્યાન-પુસ્તકો પ્રકાશિત થયાં. આગળ ગુરુમહારાજના વચનાનુસાર ઉપદેશમલાની દોઘટ્ટીટીકાની તાડપત્રીષ પ્રતિ પરથી પ્રેક્ષકેપી કાવી, બીજી કેટલીક હસ્તલિખિત જૂની પ્રતિઓ સાથે પાઠાત્રા મેળવી. યથાશક પ્રયત્ન પૂર્વક સંશોધન-સંપાદન કરી. ત્યારપછી દાક્ષિણ્યચિહ્ન હલોતનસૂરિ–ચિત પ્રાકૃત મહાજંપૂકાવ્ય કુવલયમાલા મહાકથા તથા હરિભદ્રસૂરિકૃત પ્રા૦ સમરાઈકહા, આ૦ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત પજ્ઞ વિવરણ સહિત વેગશાસ્ત્ર, (બારેય પ્રકાશ સહિત) શીલાંકાચા-ચિત પ્રા. ચકચ્છન્ન મહાપુરિસચરિય, વિમલસૂરિરચિત પ્રા. પઉમચયિ (પદ્ધચરિત્ર) જૈન મહારામાયણને સંપૂર્ણ અક્ષરશઃ ગૂજરાનુવાદ કરી સંપાદન કરી પ્રકાશિત કાવ્યાં. વળી અતિગંભીરશાસ્ત્રોના નવનીતભૂત શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધના આઠેય અધ્યયનોનો સંપૂર્ણ અનુવાદ કરી અમુદ્રિત હસ્તલિખિત પ્રત અને પુસ્તકો લખ્યાં અને લખાવ્યાં. વળી કેટલાંક શા- કિ મહાનુભાવોની અથર્થના થવાથી, સકારણે સ્થિરતા થવાથી ભવ-વિરહાક આ૦ શ્રીહરિભદ્રાચાર્ય-ચિત અને સમર્થ વિદ્વાન-શિરામણિ અનેક ગ્રંથે અને ગ્રંથની ટીકા કરનાર આ૦ શ્રી મુનિચંદ્રસૂરિ મહએ કરેલા વિવરણ. સહિત પ્રાકૃત ઉપદેશપદ ૧૪પ૦૦ ક પ્રમાણુ મહાગ્રંથને અક્ષરશ ગજેર અનુવાદ તૈયાર કર્યો. અને અતિ અલ્પ સમયમાં સંશોધન કરાવવા પૂર્વક પ્રકાશિત કરાવી વાચક વૃન્દના કર-કમળમાં સમર્પણ કરી કૃતકૃત્યતા અનુભવું છું. સંવત ૨૦૩૦ના મહા મહીને પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમણિકયસાગરસૂરિજીને ઘણા વર્ષે વંદન કરવા આવવાનું તથા સમુદાયના દશ ગણવોને પંન્યાસ પદ્ધ અર્પણ કરવાના પ્રસંગે સુરત નગર આવવાનું થયું. કેટલાક સમય સુધી ગચ્છાધિપતિની છત્રછાયામાં સ્થિરતા થવાથી સાધુ-સાધ્વી આદિને પન્નવણાદિક સૂત્રની વાચના આપી. ત્યારે કેટલાક સાધુ-શ્રાવકોના ઘણા સમયથી આ ઉપદેશમાળા ઘટ્ટી ટીકા સહિતનો અનુવાદ કરવાના અનુરોધથી કાર્યારંભ કર્યો. સતત કાર્યશીલ રહી ટૂંક સમયમાં આ કઠણુકાર્ય શાસનદેવની અદશ્ય સહાય તેમજ વડીલવર્મના વિપુલ આશિર્વાદથી અનુવાદ પૂર્ણ કર્યો, તેથી આજે હું અપૂર્વ ધન્યતા અનુભવું છું, ઉપદેશમાળા ઘટ્ટીટીકા સહિતને અનુવાદ કરી જે કંઈ પણ વિમલકુશલ કર્મ હાજન થયું હોય તેનાથી “સર્વ જી વિપુલત્રીઆતિ ભાવના અહિત પ્રભુ શાસનના પૂર્વ અનુરાગી બનો'-એ જ અંતિમ અભિલાષા. !!! સાહિત્યમંદિર-પાલીતાણા ) સં. 2031 મહાશુકલ 13, રવિ આ. હેમસાગરસૂરિ. તા. 23-2-75 * આચાર્યપદ સ્થાપના દિવસ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy