________________
[ ૨૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ હવે એક વખત કુમારે રાજાને વિનંતિ કરી કે, “કનકપુરીએ જવાને અનુજ્ઞા આપે. તે પણ સમયને જાણકાર હોવાથી પિતાની પુત્રીને ઘણા દાસ-દાસી, આભૂષણે, ચીનાઈ વસ્ત્રો, કેસર વગેરે ઘણું વસ્તુઓ કરી આણામાં આપીને વળાવી. માત-પિતાના પગમાં પડી. જમાઈને પણ હાથી, ઘોડા, રથ, સુવર્ણ, રૂપું, વસ્ત્રાદિકની પહેરામણી આપી. રણસિંહે પણ તેમને પ્રણામ કર્યા અને જવાની રજા આપી. સારા મુહૂર્ત પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં મોટી સેના સામગ્રી સાથે પાટલી ખંડના સીમાડાની ભૂમિએ પહોંચ્યા. મહાસેનાવાળા કમલસેન રાજાએ આગળથી પુત્રીને અદ્ભુત વૃત્તાન્ત પ્રથમથી જાણેલો હોવાથી નગરના દરવાજે સામો આપ્યો. આવા સજજન પીરાણા ઘરે આવેલા હોવાથી કેટલાક દિવસ પિતાને ત્યાં રોક્યા. અદ્દભુત ચરિત્રવાળી કમલવતીનું લક્ષમી માફક ગૌરવ કર્યું. માતાના પગે પડવા ગઈ, ત્યારે રુદન કરતી કમલિની માતાએ ખેાળામાં બેસાડી આલિંગન કરીને કહ્યું કે, “પતિએ કરેલી પરાભવની અવસ્થામાં તું અહિં મારી પાસે કેમ ન ચાલી આવી ? તે વખતે વજ સરખા કઠોર હદયવાળી કેમ બની ? “દુઃખી એવી પુત્રીઓને પિતાનું ઘર અવશ્ય શરણ છે.” “હે માતાજી! તે મને જીવનદાન આપ્યું છે. મેં તમારી કુખ લજવી નથી. લગ્ન કર્યા ત્યારથી અત્યાર સુધી આ પ્રમાણે તારું વિજ્ઞાન વહન કરેલું છે.”
કુમાર ત્યાંથી આગળ ચાલે અને ટૂંક સમયમાં કનકપુરમાં પહોંચી ગયા. નીતિનિપુણુ કનકાજાએ નગરની મોટી શોભા કરાવવા પૂર્વક પ્રવેશ કરાવ્યો. નગરમામા કુંવર-કુંવરીને પ્રવેશ લેવા આવેલા નાગરિકે અને નારીઓ અવનવી વાતે કરતા હતા, તે સાંભળતા સાંભળતા બંને રાજમાર્ગમાં જતા હતા. અરે! જે વિરહાવિનથી બળી રહેલ કુમાર ચિતામાં પ્રવેશ કરતા હતા, તે વાત તે કમલવતીના શીલાદિગુણ આગળ તદ્દન નજીવી છે. આ કમલવતીએ પિતાના શીલ ગુપના પ્રભાવથી યમને ઘરે પહોંચેલી હોવા છતાં તેના મુખમાં ધૂળ નાખીને ઘરે પાછી આવી.” આવી. વાતો શ્રવણ કરતા તેમ જ દાગીના આભૂષણ, વસ્ત્રાદિક સન્માન પામતા, દરેક માગમાં આ યુગલને જોવા માટે ઊતાવળી ઊતાવળી દોડતી સ્ત્રીઓને દેખતા દેખતા, કેટલીકના હાથમાં દર્પણ, કોઈકના હાથમાં અખેમાં આંજવાનું અંજન, તિલક કરવાની સળી, અબડો અધુરા રહેવાથી હાથમાં રાખેલા કેશવાળી સ્ત્રીએ ત્યાં આવી પહોંચી છે. તેઓ જાણે દેવકુલિકાની પુતળી હોય તેમ શોભતી હતી. જેમ ઊત્તમકા શ્રેષ્ઠ છંદ, લક્ષ અને અલંકાર એમ ત્રણેથી યુક્ત હોય એ પ્રમાણે રણસિંહકુમાર આ ત્રણ પ્રિયા સાથે વિષયસુખ ભોગવે છે.
હવે વિજયપુર નગરની નજીકના કોઈક ગામના સીમાડા પર શ્રી પાર્શ્વનાથ ભગવંતના તીર્થમાં કંઈક સમયે કુંવરે અછાલિકા-મહત્સવ કરાવે, ૨, કેસર, ચંદન, કાલાગુ, કુદરૂક, પુષ્પાદિક ઉત્તમ વસ્તુઓ વડે પાર્શ્વનાથ ભગવંતની પૂજા,
"Aho Shrutgyanam