________________
[ ૪૭૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ડાહ્યો વિવેકી વૈરાગ્ય ન પામે? આવા પ્રકારના ગુણવાળી યુવતીઓને વિશે જેઓ વિરક્ત-મનવાળા થયા હોય, તેઓએ જન્મ, જશ અને મરણને જલાંજલિ આપી છે. દેવકુમાર સરખા રૂપવાળે તે સનકુમાર ચક્રવર્તી જય પામે છે, જેણે ક્ષણવારમાં તણખલા માફક તેટલું મોટું અંતઃપુર ત્યજી દીધું. સંયોગ અને વિયાગના આવેગથી જેમની ચિત્તવૃત્તિ ભેદાઈ ગઈ છે, એવા કુમા૫ણામાં જ તેઓએ શ્રમણપણું સ્વીકાર્યું છે, એવા હંમેશાં બ્રહ્મચર્ય પાળનારા બાળબ્રહ્મચારીઓને નમસ્કાર થાઓ. ધન્ય એવા તે સંયમધર મહાબ્રહ્મચારીઓનો હું દાસ છું કે, જેઓના હૃદયમાં અર્ધ કટાક્ષ કરવાપૂર્વક દેખનારી યુવતીએ ભ કરનાર થતી નથી. તેઓને ભાવથી વારંવાર નમસ્કાર થાઓ, ફરી ફરી પાછું વંદન થાઓ કે, જેઓને દુર્વાસના રૂપ વિષયની અભિલાષા જ ઉત્પન્ન થઈ નથી. (૫૦) આ પ્રકારે જે જે વિષયની પીડા થાય, ત્યારે તે પીડાને તેની પ્રતિમા–ભાવનાથી તેને રોકવી. આ પ્રમાણે પહેલી અને પાછલી શવિ સમયે બ્રહ્મચર્યની શુભ ભાવના ભાવવી. વધારે શું કહેવું ? સુખ પૂર્વક સુઇ જાય અને નિદ્રાના વચલા કાળમાં જાગી જાય, તે ધર્મ જાગરિકા, કરવા યોગ્ય ધર્મકાર્યો કરવાં. ફરી પણ પ્રાતઃકાળથી કહેલાં કાર્યો કરવા. (૫૨)
वंदइ उभओ कालं पि चेहयाई थइथुई (थक्त्थुई) परमा । जिणवर-पडिमाघर-धूव-पुष्फ-गंधच्चणुज्जुत्तो ॥२३०॥ सुविणिच्छिय-एगमई, धम्मम्मि अनन्नदेवओ अ पुणो । न य कुसमएसु रज्जइ, पुधावर-बाहियत्थेसु ॥२३॥ दट्टण कुलिंगीणं, तस-थावर-भूय-मद्दणं विविहं । धम्माओं न चालिज्जइ, देवेहि सईदएहि-पि ॥२३२।। वंदइ पडिपुच्छइ, पज्जुवासई साहुणो सययमेव । ઘa gg gm , area થ ઇરિશ રરૂા . दह-सीलव्यय-नियमो, पोसह-आवस्सएसु अक्खलिओ। મદુ-મન્ન-મન-વંવિદ્દ-નડ્ડવીચ- પિતારરૂક नाहम्मकम्मजीवी, पच्चक्खाणे अमिक्खमुज्जुत्तो । सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकेतो ॥ २३५ ॥ निक्खमण-नाण-निव्वाण-जम्मभूमीउ वंदइ जिणाणं । न य वसइ साहुजण-विरहियम्मि देसे बहुगुणेवि ॥२३६।। परतित्थियाण पणमण, उब्भावण-थुणण-भत्तिरागं च । सकारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥ २३७ ॥
"Aho Shrutgyanam