SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ સ્વા-પતાકા બંધાવીને સમાનગરીમાં કુમારને પ્રવેશ કરાવ્યા. રંગાવેલી ચિત્રાવેલી ત્તિવાળા શ્રેષ્ઠ પ્રાસાદમાં મુકામ આપે. જોતિષીઓને બોલાવીને વાર, નક્ષત્ર, લગ્નવેળા તપાસીને શુભ ગ સમયે મંગલ વાજિંત્રોના શબ્દ સહિત, શ્રેષ્ઠ વારાંગનાએ જેમાં નૃત્ય કરી રહેલ છે, તેવા સમયે કુમાર સાથે કુમારીનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ તે રાજાએ કુમારને ત્યાં જ રોકી રાખ્યો, હદથને આનંદ આપનાર કથા–વિનોદમાં બ્રાહ્મણ સાથે કેટલાક દિવસે પસાર કર્યા. હવે એક રાત્રિએ રવતીએ નેહપૂર્વક પતિને પૂછયું કે, “એવી તે કમલવતી કેવા ગુણવાળી હતી કે મૃત્યુ પામી છે છતાં પણ તમારું હદય આટલું ખેંચાય છે.' મોટા મનોરથ કરતાં કરતાં મારા તરફ આવતા હતા, પરંતુ માર્ગમાં જ તેણે તમને વશ કરી લીધા, જેથી અધવચ્ચેથી જ તમે પાછા ફર્યા.” કુમારે કહ્યું કે, તેવી કોઈ તરુણ દેખાશે, તે તેની ઉપમા આપીને તને જણાવીશ. તેને વિયોગ થયે એટલે દેવગે તારી સાથે લગ્ન કર્યા. દૂધની ખીર ન મળે ત્યાં સુધી ખારી બેંસનું પણ ભેજન કરવું જ પડે.” હવે રનવતીએ પોતાનું પિત પ્રકાશતા અભિમાનથી જણાવ્યું કે- “ગંધમૂષિકા પરિત્રાજિકાને મેં મકલી હતી. તે એકદમ ત્યાં આવીને કામણનો પ્રયોગ કરીને નોકર-ચાકર પુરુષો આવતા જતા હતા, તેના બાનાથી પરપુરુષને પ્રસંગ તમને બતાવ્યો. તે કારણે તેના મંત્રથી તમને તેના તરફ ચિત્તમાં વિષ ઉત્પન્ન થયા. કમલવતી (બ્રાહ્મણ બટુક) અને કુમાર સમક્ષ આ હકીકત પોતાના મુખથી કહી એટલે કમલવતીનું કલંક આપોઆપ ભુંસાઈ ગયું અને તેથી કમલવતીને આનંદ થયે. આ સાંભળીને રણસિંહની ઉદ્દભટ ભ્રકુટી કપાળની કરચલીઓ ભયંકર બની ગઈ. લાલ ને થવાથી દુઝેક્ષ બની રત્નપતીને અતિશય તિરરકારી, “અરે પિણ! નિશંકપણે આ પાપ કરીને મને દુઃખના સમુદ્રમાં અને તારા આત્માને નરકના અંધારા કરવામાં ફેક.” “કૂતરી સારા સારા શબ્દોથી પિકાર કરે છે, જ્યારે દુષ્ટ સ્ત્રી મનુષ્ય જયાર સંકટમાં પડે છે, ત્યારે મહાઆનંદ માણે છે, કૂતરીને કટકા રોટલે કોઈ આપે, તે તેની સામે ભસતી નથી, જ્યારે મહિલાને દાન-માન આપે, તે પણ મારવા માટે તૈયાર થાય છે.” જે કારણથી ખોટું કલંક ચઢાવીને કઢાવી મૂકી અને દુખની ચિંતામાં નાખી, કમલ સરખા નેત્રવાળી કમલવતીને મૃત્યુ પમાડી. હે સેવક કો! તમે એકદમ આ ધવલગ્રહના દરવાજે કાઠે ગઠવીને એક ચિતા તૈયાર કરો, જેથી હવે કમલવતીના વિગના દુઃખાગ્નિના કારણે ન મળ્યા કરું. જવાલાથી ભયંકર એવા ચિતાનમાં પડીને મારી શુદ્ધિ કરું.” ચિંતાતુર એવા તે સેવકોએ કઈ પ્રકારે ચિતા તૈયાર કરી અને પરિવારે ઘણે રોકો, તે પણ ચડવા માટે ચાલે. આ સર્વ સમાચાર રાજાને "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy