SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાનુવાદ મૂઢ મતિવાળી મહિલા કાર્ય અને અકાર્યને જાણતી નથી, એક પદાક્તર હોય છે; યંત્ર પણ ખરેખર જાણતું નથી, તે બહેતર છે કે, ઘરમાં પોતાની ગૃહિ. ને બદલે યંત્ર યુવતી કરવામાં આવે છે, જેથી શત્રુ સમાન થઈ અસાધારણ વ્યસન ન આણે.” આ બાજુ વિજયપુર નજીક સર્વ પ્રકારે રોભાયમાન અતિ ધાન્ય દૂધ, ઘી આદિ સામગ્રીની સુલભતા યુક્ત શ્રેષ્ઠ ગામ હતું. તે ગામમાં રહેનાર એક સુંદર નામને ખેડૂત ત્યાં ઘાસ લેવા માટે આવ્યું હતું ત્યારે તેણે રુદન કરતાં તે બાળકને જે. આશ્ચર્ય પામતા તે ખેડૂતે ઝાડીમાં પ્રવેશ કરીને ઉગેલી વેલડી અને લતા વચ્ચે પડેલા કુમારને મણિમય પ્રતિમા હોય, તેમ પિતાના કરસંપુટમાં હર્ષપૂર્વક રહણ કર્યો. “વિધિ દેવ) એવા પ્રકારનું વિચિત્ર છે કે, નર, જે કાર્યને હૃદયમાં વિચારી શકતા નથી, જ્યાં ઘેડાના વછેરા હણહણાટ કરતા નથી, તેવું ન ઘટતું કાર્ય પણ ઘટાડે છે અને બીજું ઘટતું કાર્ય પણ વિઘટિત કરે છે-વિનષ્ટ કરે છે.” (ન ધારેલું કાર્ય કરાવે છે અને ધારેલ કાર્યથી ઉલટું કાર્ય કરાવે છે.) અણધાયું નિધાન પ્રાપ્ત થયું હોય, તેમ તે બાળકને લઈને પોતાના ઘરે આવીને મત મને રથની જેમ પોતાની પ્રાપ્રિયાને અર્પણ કરે છે. પત્નીને કહ્યું કે, “વનદેવતાએ પ્રસન્ન થઈને અપુત્રિયા એવા આપણને આ પુત્ર આપ્યો છે. કલ્પવૃક્ષના નવીન અંકુર માફક તારે આ પુત્રને કાળજીથી ઉછેર.” સમયે તે બાળકનું રસિંહ એવું નામ સ્થાપન કર્યું. તે કુમાર હાથી, ઘોડા ઉપર બેસી અનેક પ્રકારની રાજકીડાઓમાં આનંદથી સમય પસાર કરે છે. હવે કોઈક સમયે વિજયસેન રાજાને રાજકના કોઈક મનુષ્ય એકાંતમાં અગમહિષીએ કરેલ સાહસની હકીકત જણાવી. “ચંદ્રની કળા, અસ્ત્રાથી કરેલ મુંડન, ચોરી-છૂપીથી ગુપ્ત પાપકીડા કરેલી હોય, એ સારી રીતે છૂપાવવા પ્રયત્ન કરવા છતાં ત્રીજા દિવસે નકકી પ્રગટ થાય છે. ” નિપુણતાપૂર્વક સાચી સર્વ હકીકત જાણીને રાજા રાણીનું દુશ્ચરિત્ર વિચારવા લાગ્યો કે “અરે! સ્ત્રીઓને અને દુજનાને કોઈ અકાર્ય હેતું નથી.” અરે ! મેં એના માટે શું કરવાનું બાકી રાખ્યું છે ? મેં હંમેશા તેના ઉપર પ્રસન્નતા રાખી છે, પુત્રનું અપહરણ કરાવીને ખરેખર તેણે મારું મરવું નીપજાવ્યું છે. અપયશરૂપી મદિરા-ઘરથી વાસિત થઈ પાપ કરનારી, કુચરિતરૂપી કાજલી લેપાયેલ મુખવાળી હે અજયા! તે શું સાંભળ્યું નથી? “શેક્યને પુત્ર પણ જે કુલીન હોય છે, તે સુવિનીત હોય છે અને જે જનનીથી ઉત્પન્ન થયો હોય છતાં અકુદીન છે અવિનીત થાય છે.” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy