SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ તામતિ-તાપસની કથા [ ૨૮૩ ) કરી વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવંત! એવું પ્રણિધાન કરે છે, જેથી આપ અમારા પ્રભુ થાવ.” બલિચચાના ઈન્દ્રને યવ ગયાને ઘણા મહિના થઈ ગયા છે, તો આપ અમારા નાથ બનીને દેવના ભેગો ભેગો.” તામલિ તાપસ માન રહે છે, તેનું વચન સ્વીકારતા નથી, ફરી ફરી પ્રાર્થના કરી તે પણ મૌન રહે છે એટલે તેને પિતાના સ્થાને ગયા. “ પાણીનાં મોજા ઉછળતાં હોય, તેવા જળમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્થિર રહે, તેવી આશા કાયા માટે બાંધવી, ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું સ્વપ્ન તે સરખા શરીર માટે લાંબા કાળ સુધી અવિનાશી ભાવની કલ્પના કરવી, અને વાયાથી લહેરાતા દવજના અગ્રભાગ સરખી ચપળ કાયા ઉપર પ્રીતિ કરવામાં આવે, તો તે ખરેખર પરમ પુરુષાર્થ-ધર્મનો ક્ષય કરનાર થાય છે.” ૨૩. આવી ભાવનાવાળી મે મહિનાની સંખના કરી તે મૃત્યુ પામી અતિસ્થિર વિજળીના તેજના ઢગલા સરખે ઈશાન દેવકનો ઈન્દ્ર થશે. બલ ઈન્દ્રને પરિવાર પરલોક પામેલા તામલિને જાણીને ક્રોધ સહિત ત્યાં આવીને તેના દેહને વિડંબના કરવા લાગ્યા. અતિકે હાઈ ગએલા દુ"ધી કાદવથી તેનું શરીર ખાડીને તેના પર ગાંધીને કાપવા લાગ્યા. તેના મુખમાં ચૂંકવા લાગ્યા, તેટલામાં અવધિજ્ઞાનથી તે ઈશાનેન્દ્રને તે જાણવામાં આવ્યું. પોતાના સ્થાનમાં રહેલા તેણે અતિકેપવાળી ક્રૂર દષ્ટિથી તેમના તરફ નજર કરી, એટલે તેના અંગમાં અગ્નિ આલિંગન કરવા લાગ્યા. અતિશય સળગતી અગ્નિની જવાળાઓના ભડકાથી ભરખાતાં છે જેમાં સવ અંગ એવા તેઓ સખત પીડા પામતા એક-બીજાના શરીર ઉપર પડવા લાગ્યા. છ માસ સુધી આવી તીવ્ર વેદના અનુભવતા જેમનાં શરીર પરેશાન થઈ ગયાં છે, એવા તે વિચારવા લાગ્યા કે, આ વેદના કયાંથી આવી છે ? તામતિ તાપસ પિતે ઈશાન ઈન્દ્રપણે ઉત્પન્ન થયા છે, તે જાણીને તરત જ સારી રીતે અવધિજ્ઞાનને ઉપચાગ મૂકીને વિનંતિ કરવા લાગ્યા કે, “અમે અજ્ઞાનથી આપના ગુનેગાર થયા છીએ, અમાએ તમારે કેપ-પ્રભાવ દેખે, માટે અમને ક્ષમા આપ. હવે આપની કૃપા ઇચ્છીએ છીએ.” પિતાને અપરાધ પિતે કબૂલ કરતા હોવાથી તેઓની ગાઢ પીડા દુર કરી. તે જ ક્ષણે તેમને પીડાથી મુક્ત કર્યા. એટલે જ્યાંથી આવ્યા હતા, ત્યાં પિતાને સ્થાને પહોંચી ગયા. અહિં ઉપનય આ પ્રમાણે સમજ, તેણે લાંબા કાળ સુધી તીવ્ર તપ કરે છે, જેનાથી અનેક સિદ્ધિ પામે, પરંતુ તે તીર્થકર ભગવંતની આજ્ઞા રહિત અજ્ઞાન તપ હેવાથી અપફળ આપનાર થયે. (૩૩) તામિલતાપસની કથા પૂર્ણ થઈ, "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy