SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વમુનિની કથા [ ૨૨૭ } સાંભળીને તે શ્રાવક થયા હતા. ભવથી ભય પામેલે વિષયતૃષ્ણાથી હિત તે પ્રયા લેવાની અભિલાષાવાળા થયા. પૂણું યૌવન પામવાના કારણે તેના પિતા જે જે કન્યાઓ માટે વાત કરે છે, તેને તેને નિષેધ કરીને જણાવે છે કે, “ મારે તે દીક્ષા અંગીકાર કરવી છે. વળી કહે છે કે, આ કામિનીએ કેવા પ્રકારની હોય છે ? :— * “ જે એ વિષે પૂ હર્ષ પામેલી માયારૂપ મહારાક્ષસી નૃત્ય કરે છે, જેમાં પ્રેતથી પણ અધમ એવા માહુ પ્રાણીઓને ગમે તે પ્રકારે સાવાને ઠંગે છે, જેમાં નિર'તર કામાગ્નિ સતત સળગતા જ રહે છે, તેવી શ્મશાન કરતા અધિક વિષમા– સ્ત્રીને સ્થા કલ્યાણુની ઇચ્છાવાળા પડિત પુરુષ કદાપિ પણ સેવન કરે ?” હવે તે જ નગરમાં ધનપાલ શેઠની પુત્રીએ પિતાને કહ્યું કે, મને નરિ સાથે પરણાવા, તે હું કોઇ પ્રકારે તેને વશ કરીશ. આ સમિત નામના મારા ભાઈએ પાતાની સ્થિરતાથી જિતનાર એવા સિદ્ધગિરિ ગુરુ પાસે દીક્ષા લઇ ગ્રહણુ અને આસેવન શિક્ષાનું જ્ઞાન મેળવ્યું છે. ધનગિરિએ સુનંદાને કહ્યુ કે, હું ભદ્રે ! હું મુનિ થઈશ, વાત ખેાટી ન માનીશ, એ કાયમાં હું ઢીલ નહિ' કરીશ, તને જેમ રૂચે તેમ તું ક્રમ. ' 6 ત્યારપછી માતા-પિતાના આગ્રહથી વિવાહ કર્યાં, તેમાં માટે ખર્ચ કરી ઘણા આડઅર કર્યો અને તેણે પાણિગ્રહણ કર્યું. વિષય-સગથી અતિવિરત થયેલા હાવા છતાં મહાનુભાવ અનુરાગીની જેમ દાક્ષિણ્ય અને આગતને આધીન બનેલા ચુસારના કાય કરનારા થાય છે. તે વિવાહ સમય પૂર્ણ થયા પછી માનદ માણતી સુનંદાને તેણે કહ્યુ કે, હું સુ'રિ ! પૂર્વના વૃત્તાન્તના વિચાર કરીને હવે મને છેડ. સુનદા ગિરિ પ્રત્યે પૂ પ્રેમવાળી હતી, જ્યારે તે સુના પ્રત્યે વિરક્ત ચિત્તવૃત્તિવાળા હતા, શગી અને વિાગી એવા તે બંને વચ્ચે અનેક વાર્તાલાપે થયા. તેમાં સુનદાએ તેને કહ્યું કે, ‘પિતાના ઘરથી પરખ઼ુખ બનેલી હવે મને તમા જ એક સ્થાન છે, તમારા સિવાય મને હવે બીજો કાઈ આધાર નથી એટલે તે વિચાર કરે. કુમારીપણામાં પિતા, યૌવન વયમાં ભર્તાર, વૃદ્ધપણામાં પુત્ર એમ સ્ત્રીઓને દરેક અવસ્થામાં રક્ષણ કરનાર હોય છે. ી રક્ષણ વગરની-એકાકી રહી શકતી નથી.” આ વાત સાંભળીને તેના વચનથી સુનંદાના બન્ધુએ તથા બીજા લેાકેાએ આગત કરીને તેવી રીતે રોકયા, જેથી પુત્રલાભની ઇચ્છાવાળા બન્યા. કેટલાક દિવસે ગયા પછી શ્રેષ્ઠ સ્વમ સૂચિત પેલા દેવતાના જીવ તેના ગલમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પ્રશસ્ત પુત્ર લાભ થવાના જ છે, તેથી સુન'દાને ધનિિિરએ ધું કે, ‘હવે સુન્દર લક્ષણવાળા સહાયક તને પુત્ર થશે,' વળી વિચારવા લાગ્યા કે, ‘ ગૃહસ્થાને કુશળ કયાં હોય છે ? તે સીએથી સસાર-સાગરમાં ફૂંકાય છે, કદાચ પાત એટલે બાળક પ્રાપ્ત કરે છે, તા તે તેનાથી જ અતિશય ડૂબી જાય છે. ’ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy