SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ક પાટણ માં સંઘવી પડાના જેનભંડારમાં છે. તેને જ મુખ્ય ગાથા લઈને શ્રાવાદિદેવસૂરિના શિષ્યરત્ન શ્રીરત્નપ્રભસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં વિસ્તારથી વિશેષાથીઓના હર્ષ માટે કથાનકે–દતોથી આકર્ષક વ્યાખ્યા સં૦ ૧૨૩૮માં ભગુપુર (ભરૂચ)માં રચી હતી, જેનું સંપાદન આગમ દ્વારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીના શિષ્યરત્ન શ્રામસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૨૦૧૪માં પત્રકાર પુસ્તિકાના રૂપમાં કર્યું હતું, જેમાં સંસ્કૃત ભાષામાં વિદ્વતાભર્યો ઉપક્રમ શ્રીચન્દ્રસાગરસૂરિશિષ્ય શ્રી ધર્મસાગરગણિશિષ્ય મુનિ શ્રીઅભયસાગરજીએ ર હતા. -રત્નપ્રભસૂરિની ૧૧૧પ ક-પ્રમાણુ એ વિશિષવૃત્તિ, જે ઘટ્ટીનામથી પણ પ્રસિદ્ધ છે, તેને આ પ્રકાશિત થતા ગૂજરાતી અનુવાદ પણ એ જ આદર શ્રી હેમસાગરસૂરિજીએ રચેલ છે, જે ગુજરાતી વાચકોને આનદાયક થશે તેવી આશા છે. વૃદ્ધવાદ સંભળાય છે કે, ધર્મદાસગણિએ કલિકાલ-પ્રભાવિત પિતાના સાંસારિક પુત્ર રણસિંહને પ્રતિબંધ કરવા માટે પ્રા૦ ઉપદેશમાલાની રચના કરી હતી, વ્યાખ્યાકાર સિદ્ધષિએ અને રત્નપ્રભસૂરિ વગેરેએ પણ રણસિંહની કથા જણાવી છે, તે સાથે કલિકાલના પ્રભાવની કથા પણ જાણવા જેવી છે. પ્રા૦ ઉપદેશમાલા (મૂલ)ના કર્તા ધર્મદાસગણિના સમય-સંબંધમાં મતભેદ છે. એતિહાસિક દષ્ટિથી વિચારના કેટલાક ધર્મદાસમણિને ભગવાન મહાવીરના સમકાલીન માનતા નથી. તેના કારણમાં ભગવાન મહાવીર પછી લગભગ પાંચ વર્ષો સુધી માં થયેલા સ્થલભદ્રજી, આર્ય હાગિરિજી અને વજસ્વામી, પર્યન્તના નામ-નિશા-દષ્ટાને તેમાં સૂચિત છે. તેના સમાધાનમાં મૂળ ગ્રન્થકારે અવધિજ્ઞાનથી ભવિષ્યમાં થનારા મહાર પુરુષોનાં ચ િસચવાં જણાવાય છે. વ્યાખ્યાકારે અને બાલાવબેધકાર વગેરેએ એ વાતનું સમર્થન કર્યું છે, ઉપદેશમાલા (મૂલ)ના સંપાદક સદ્દગત ખાનદસાગરસૂરિજી એમ માનતા જણાય છે. ઉપક્રમ રચનાર વિદ્વાન મુનિ શ્રીઅભયસાગરજીએ સંસ્કૃતમાં એની વિસ્તારથી ચર્ચા કરી પ્રાચીન માન્યતાને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તાવ તે કેવલિગમ્ય કહી શકાય. પ્રસ્તુત વ્યાખ્યાકાર રત્નપ્રભસૂરિ, બૃહદ્ગછમાં થયેલા સુપ્રસિદ્ધ મુનિચન્દ્રસૂરિના નામાંકિત શિષ્ય વાદી દેવસૂરિના શિષ્યરત્ન હતા. મુનિચન્દ્રસૂરિએ હરિભકરિના પ્રા. ઉપદેશપદ પર વિસ્તારથી વ્યાખ્યા રચી હતી, જેનો ગૂજરાતી અનુવાદ આ૦ શ્રીહેમસાગરસૂરિજીએ કર્યો હતો, જે આ આનંદમગ્રન્થમાલામાં નિં. ૮) આ પહેલાં પ્રસિહ થઈ ગયેલ છે, તેની પ્રસ્તાવનામાં મેં દર્ભાવતી-ડભોઈ (લાટ-ગૂજરાત)-નિવાસા મુનિચન્દ્રસૂરિને સંક્ષેપમાં પરિચય કરાવ્યું છે. વાદી દેવસૂરિએ પાટણમાં ગૂજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં દિગંબર મહાન વાદી કુમુદચંદ્રને વિ. સં. ૧૫૮૧માં વાદમાં પરાસ્ત કર્યો હતો, અને સીનિર્વાણની સિદ્ધિ કરી હતી-એથી એ આચાર્ય વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. તેમની ગ્રન્થ-રચના સૂત્રાત્મક પ્રમાણ-નય-તરસાલાક છે, જે સ્યાદ્વાદરભાકર નામની ૮૪૦૦૦ લેક-પ્રમાણુ વિસ્તૃત વ્યાપાથી અલંકૃત છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy