________________
૪૬
વિકવિલાસ, દિનીય ઉલ્લાસ. द्विजादेशे विवाहे च, स्वामिदत्ते च वाससि ॥ तिथिवारक्षशीतांशु-विष्ट्यादि न विलोकयेत् ॥ २६ ॥
અર્થ–બ્રાહ્મણની આજ્ઞા હોય, વિવાહ હોય, અથવા પિતાનો સ્વામી આપે તે તે વસ્ત્ર પહેરવામાં તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રમા, વિષ્ટિ ઇત્યાદિકનો વિચાર ન કરવો. (૨૬ )
न धार्यमुत्तमैर्जीर्ण , वस्त्रं नच मलीमसम् । विना रक्तोत्पलं रक्तं पुष्पं च न कदाचन ॥ २७ ॥
અર્થ–ઉત્તમ પુરૂષોએ જીર્ણ અથવા મલિન વસ્ત્ર ધારણ કરવું નહીં. તેમજ એક રાતા કમળ વગર બીજું રાતું ફૂલ કોઈ કાળે પણ ધારણ ન કરવું. (૨૭)
आकाङ्कनात्मनो लक्ष्मी, वस्त्राणि कुसुमान्यपि ।। पादत्राणानि चान्येन , विधृतानि न धारयेत् ॥ २८॥
અર્થ –-પિતાને લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરૂષે બીજાએ પહેરેલાં વસ્ત્ર, ફૂલ તથા પાદત્રાણ (પગરખા) પહેરવાં નહી. (૨૮)
नवभागीकृते वस्त्रे, चत्वारस्तत्र कोणकाः॥ कर्णवृत्ति द्वयं द्वौ चा-चलौ मध्यं तथैककम् ॥ २९॥ चत्वारो देवताभागा, दो भागो दैत्यनायकौ।। उभौ च मानुषी भागा-वेको भागश्च राक्षसः ॥ ३०॥
અર્થ –-વસ્ત્રનાં નવ ભાગ કરિયે, તેમાં ચાર ખૂણાનાં - (વસ). ચાર ભાગ, બે કિનારીના બે ભાગ, બે છેડાના બે ભાગ અને / દેવ યા દેવ એક વચલે ભાગ એ નવ ભાગમાં પહેલાં ચાર ભાગ દેવ અ ને તાનાં, બીજા બે ભાગ દૈત્યના, ત્રીજા બે ભાગ મનુષ્યનાં ક્રિકેટ ય દેવો અને ચોથે એકજ છે તે રાક્ષસનો જાણવો. (૨૯) (૩૦)
"Aho Shrutgyanam