________________
૨૪૧
વિવેકવિલાસ, અગ્યારમે ઉલ્લાસ. यथा लोहं सुवर्णत्वं, प्रामोत्यौषधयोगतः ॥
आत्मध्यानात्तथैवात्मा, परमात्मत्वमश्नुते ॥३४॥
અર્થ:--જેમ વનસ્પતિના વેગથી લોહડાનું સેનું થાય છે, તેમ જીવ પરમાત્માના ધ્યાનથી પોતે જ પરમાત્મા બને છે. (૩૪)
अध्यात्मवर्जितैर्ध्यानैः, शास्त्रस्थैः फलमस्ति न ॥ भवेन्नहि फलैस्तृप्तिः, पानीयप्रतिबिम्बितैः ॥ ३५॥
અર્થ –આત્મવિચાર વિના કેવલ શાસ્ત્રમાં રહેલા ધ્યાનથી કાંઈપણ ફલ નીપજતું નથી. કારણ કે પાણીમાં પ્રતિબિંબિત થએલાં (પડછાયામાં પડેલા) ફલોથી કાઈ કાળે વૃપ્તિ ન થાય. (૩૫)
रूपस्थं च पदस्थं च , पिण्डस्थं रूपवर्जितम् ।। સ્થાને વિર્ષ , સંસરાવતાર છે રૂથ છે
અર્થ –રૂપ, પદરથ, પિંડરથ અને રૂપાતીત એ રીતે ચાર પ્રકાદનું ધ્યાન સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારનારું કહેવાય છે. (૩૬)
पश्यति प्रथमं रूपं, स्तौति ध्येयं ततः पदैः ॥ तन्मयः स्यात्ततः पिण्डे , रूपातीतःक्रमाद्भवेत् ॥ ३७॥
અર્થે –સાધક પ્રથમ ધ્યેય વસ્તુનું રૂપ જ છે, પછી પદે કરી તેની (દયેય વસ્તુની) સ્તવના કરે છે, તે પછી પિંડને વિષે તન્મય થાય, અને પછી અનુક્રમે રૂપાતીત થાય. (૩૭)
यथावस्थितमालम्ब्य , रूपं त्रिजगदीशितुः॥ क्रियते यन्मुदा ध्यानं , तद्रूपस्थं निगद्यते ॥ ३८॥
અર્થ –તીર્થકર ભગવાનનું જેવું રૂપ છે તેવા રૂપનું આલંબન લઈને જે ભગવાનનું હર્ષથી ધ્યાન કરવું, તે રૂપથ કહેવાય છે. (૩૮)
विद्यायां यदि वा मन्ने , गुरुदेवस्तुतावपि ॥ पदस्थं कथ्यते ध्यानं , पवित्रान्यस्तुतावपि ॥३९॥
અર્થ-વિધામાં, મંત્રમાં, ગુરૂની તથા દેવની સ્તુતિમાં અને બીજી પણ પવિત્ર વસ્તુની સ્તુતિમાં “પદસ્થ” ધ્યાન કહેવાય છે. (૩૯)
"Aho Shrutgyanam