SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ઉપર અમે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં ચિહ્નોને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો “ભારતીય પ્રાચીન લિપિમાલમાંથી લીધાં છે, જે ઈ.સ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખ, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગ પાડવ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યંતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમાં અવાંતર ચાર વિભાગ પાડ્યા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોમાં મળે છે. આ વિભાગમાંના ચેથા અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખોમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકોને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાંતર ચાર વિભાગે શતાબ્દીને ક્રમ બતાવે છે. ચેથા અવાંતર વિભાગમાંની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલે છે. - ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુસ, કુટિલ, નાગરી, શારદા, બગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખે, મૂર્તિલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાતી આકૃતિઓને સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને ૨ એકેને મળતી આકૃતિએ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથને વળાટ આદિ કારણેને લઈ ઉપરોકત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતાં એ બધી આકૃતિઓ Bકારનાં જ વિવિધ રૂપ છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખેના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કટાર તરીકે જ માને છે–વાંચે છે અને અમે પણ ઉપરોકત ભલે મીંડાની આકૃતિને કારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ. કેટલાંક લિખિત પુરતોના આરંભમાં લખાએલ ! આ જાતની આકૃતિને જોઈ કિઈ કઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સંવ ૯૮૦માં શાસ્ત્રલેખનની ગઈ છે એ આ નીચે આપવામાં આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણા ખ્યાલમાં આવશે. सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादी स्वराः। दश समानाः। तेषां द्वोद्वावन्योऽन्यस्य सवौं । पूर्वो हस्कः। परो दीर्घः । स्वरोऽवर्णवजों नामी। एकारादीनि संध्यक्षराणि । कादीनि व्यन्जनानि । ते वर्गाः નt 1થતિ: ફાઇarોઃ ઘોઘવન્તોડજો. મનનારા #ળનમાં: 1 શકતા यरलवाः। उध्माणः शषसहाः। આ ચાર પાટીઓ પછી બાળકને કાચા સંતો રેવં સામા ય કરવા ઈત્યાદિ “ચાણકયનીતિ'ના પચીસ પચાસ લેાકાની પાટી ગેખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનઘડ વ્યાસલે કે કથાકારે જે રીતે લેચ્ચાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાંડી બાંડી થઈ ગઈ છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy