________________
૪૮
કે જૈન લિપિમાં મગધની સંસ્કૃતિના જ ઐાલિક વારસા છે
જૈન લિપિ
જૈન ચિત્રકલ્પદ્રુમ
અમે ઉપર જણાવી ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથીજાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પોતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતેનું નિર્માણ વગેરે કરેલાં દાઈ એ લિપિએ કાળે કરી જુદું સ્વરૂપ ધારણ કર્યું અને તે જૈન લિપિ' એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સાવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયાં અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ ખીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વેદિગ્ગામી વિવિધ સાધનાને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખાને ઉત્પન્ન કરી તેમના અને તેમની કળાને નિર્વાહ કરવા, લિખિત પુસ્તકાના સંશોધનની પતિ તેનાં સાધના અને ચિહ્ન-સંકેતા, જૈન લિપિના વર્ણો સંયેાગાક્ષરે। અને મરાડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે.
જૈન લિપિના મરેાડ
જેમ બ્રાહ્મીદેવનાગરી લિપિ એક જ જાતની હાવા છતાં જુદીજુદી ટેવેા, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરેડ આદિને લીધે અનેક રૂપમાં વહેંચાઇ ગઇ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવે, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઇ જાય છે. જેમ આજની જૈન લિપિમાં યતિની લિપિ, ખરતરગીયપ લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકેાની લિપિ, કોઇના લાંબા અક્ષરા તે કોઇના પહેાળા અક્ષરા ત્યારે કાઇના ગાળ અક્ષરા, કાઇના સીધા અક્ષરો તે। કાઇના પુંછડાં ખેંચેલા અક્ષરેા, કાઇના ટુકડારૂપ અક્ષરા તે કાષ્ટના એક જ ઉટાવથી લખેલા અક્ષરે એમ અનેક પ્રકારે છે, તેમ પ્રાચીન કાળમાં પણ એ પ્રકારે વિદ્યમાન હતા (જીએ ચિત્ર નં. ૧૧ વગેરેમાંની લિપિઓ); એટલે અહીં યતિએાની લિપિ વગેરે જે નામે આપવામાં આવ્યાં છે તેને અર્થે એટલે જ સમજવાના છે કે લિપિ લખવાના અમુક પતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલે છે. પિતની લિપિ માટે ભાગે અક્ષરના ટુકડા ૨ કરીને લખેલી હેાય છે, જ્યારે બીજા બધા લેખકાની લિપિ માટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હાય છે, બધા ચે લહિયાની લિપિમાં અ, સ આદિ અક્ષરા અને લિપિને મરેડ અમુક જાતને જ હાય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરા તેમ જ લિપિના ભરાડ કાંઇ જુદાઈ ધરાવતા જ હોય છે. યતિએના ટુકડાપે લખાએલા અક્ષરા માટે ભાગે અત્યંત ાભાવાળા, પાંખડાં મુડેાળ અને સુરેખ હેાય છે. મારવાડી લેખક અક્ષરેનાં નીચેનાં પાંખડાં પૂછડાંની જેમ આછાં ખેંચે છે
૬૫ વગરથ પાટણવાસી શિલ્પશાસ્ત્રપાર ગત વિદ્વાન ચતિવર્ય શ્રીમાન હિમ્મતવિજયજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણસે વર્ષ પહેલાં એક ખરતર ગીચ આચાર્ય—જેમનું નામ અમે વીસરી ગયા છીએ,—થયા હતા તેમનાથી ચાલુ થએલી અમુક પદ્ધતિની લિપિને ‘ખરતરગચ્છીય' લિપિ કહેવામાં આવે છે.
૬૬ ‘ટુકડા કરવા'ના અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સીધાંવાંકાં, આાડાંઊલાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને છૂટા પાડીને લખવાં અને નેડવાં, જે જોતાં સહેજે સમજી શકાય કે લેખકે અમુક અક્ષરને અમુક વિભાગે લખેલે છે.