SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દનો પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે; તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઇ ગયો છે અને તેથી ૨૧કાળી મણી, લાલ મણી, સેનેરી મષી, રૂપેરી ભલી એમ દરેક સાથે “મણી' શબ્દનો પ્રયોગ થએલો આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યાં લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને મહી-કાજળ-પ્રધાન કાળી શાહીનો ઉપયોગ થત: કાળાંતરે એ જ “ભષી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી હે, પેરી છે કે લાલ એ દરેકમાં, સદ્ધ થઈ ગયા છે. ઘણાખરા શબ્દો કે નામ માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હેય તે કાળાંતરે રૂઢિરૂપ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયે (ખડી માટે), લિયાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદા જુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે “ખડિયા’ અર્થમાં પ્રયોગ કરીએ છીએ. મણીભાજન ઉપર જણાવેલી શાહી ભરવાના પાત્રનું નામ “મષભાજન’ છે. ખાસ કરી આ નામનો પ્રયોગ કાળી શાહી ભરવાને પાત્ર માટે થતો. આ નામ આપણને એ માહિતી પૂરી પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તકો લખવાનો રિવાજ હતા. સનરી આદિ શાહીઓથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “ભલીભાજન’ શબ્દ “ખડિયો’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાત્ર#ીચત્રમાં આનું નામ Hિસ૬૨ આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણા જમાનામાં કેટલીયે જાતના ખડિયાએ બને છે, પણ જૂના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણી સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહ, લેખકે, વ્યાપારીઓ વગેરે પાસે જોતાં જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાનામેટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકે એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે. - ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગ તરીકે ઉપર અમે જે શાહી જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સોનેરી-પેરી રંગ તરીકે સોનેરી રૂપેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળક વાપરવામાં આવતો હતો. પીળા અને ધોળા ૧૧ જુઓ ટિણ ૩૦ (). દર રાજમશ્રીયસત્રની ટીકામાં આચાર્ય શ્રીમલયગિરિએ સિનનું . રૂપ ત્રિવાસન આપ્યું છે, પરંતુ પતિવર્ય શ્રીયુત સુખલાલજીનું કહેવું છે કે ઢિgraણ એ નામ સં. ધ્યાન ઉપરથી બન્યું હોવું જોઈએ. અર્થનું અનુસંધાન અને યોગ્યતા વિચારતાં આ કહ૫ના વધારે સંગત જણાય છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy