________________
२७
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયોગ ટિપણારૂપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-યંત્રપટે લખવા માટે જ વધારે પ્રમાણમાં થતો અને થાય છે. ભૂર્જપત્ર-ભેજપત્રને ઉપયોગ દ્ધ અને વૈદિકોની જેમ જૈન પુસ્તક લખવા માટે થયો જણાતો નથી, તેમ એના ઉપર લખાએલો કોઈ નાનમેટે જૈન ગ્રંથ કોઈ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતો. માત્ર અઢારમી-- ઓગણીસમી સદીથી યતિઓના જમાનામાં મંત્ર-તંત્ર-મંત્રાદિ લખવા માટે તેને કાંઈક ઉપયોગ થએલે જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ. મંત્ર-તંત્ર-યંત્રાદિના લેખન માટે કાંસ્યષત્રપ તામ્રપત્ર, રપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેનો ઉપયોગ જેનોએ ખૂબ છુટથી કર્યો છે, પણ જૈન પુસ્તકોના લેખન માટે એનો ઉપયોગ કર્યો દેખાતો નથી. સીન આદિમાં
વંનતીથી ચિત્રપટ છે, જે સંવત્ ૧૪૯૦માં લખાએલો છે. એની લંબાઇ-પહોળાઈ ૩૮ કુટxhસાઈંચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુપિકાઓ છે.
संवत् १४९० वर्षे फा. व. ३ चंपकनेरवासि प्राग्वाटज्ञातीय सा० खेता भा. लाडीसुत सा० गुणयिकेन
संवत् १४९० वर्षे फा. व.३ चपकनेरवासि मं० तेजा भा. भावदेसुत को वाघाकेन प्राग्वाटज्ञातीयेन श्रीशान्तिप्रासादालेखः कारितः ।।
આ પટ પંચતીર્થ પટ નથી, પણ ઢપમાં તેનું જ નામ લખ્યું છે તે અમે નોંધ્યું છે. આ પટ અમે શ્રીયુત એન.સી. મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપેલો છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટને પરિચય તેઓએ કેટેગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ઈડિયન આર્ટ ઍન્ડ લેટર્સના પિજ ૭૧-૭૮માં A picture roll from Gujarat (AD. 1433શીર્વેક લેખમાં આપેલા છે. ૩૪ ભેજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હોતાં. ખાસ કરીને સકા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની હરિ ઉત્તર હિંદુસ્તાનમાં થતી હેઈ લખવા માટે એને ઉપયોગ તે પ્રદેશમાં જ થતે હતે. જેન-પ્રજાએ એનો ઉપયોગ કર્યો જણાતો નથી.
ભાજપત્ર ઉપર લખાએલાં પુસ્તકોમાં સિાથી પ્રાચીન પુસ્તક એક ખેતાન પ્રદેશમાંથી મળેલ “ધમ્મદ' નામના બ્રહ ગ્રંથને કેટલેક અંશ છે, જે ઈસ. ની બીજી અથવા ત્રીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે અને બીજુ “સંયુક્તાગમ નામનું બે સૂત્ર છે, જે . રટાઇનને ખાતાના પ્રદેશમાંના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈ.સ.ની ચાથી સદીમાં લખાએલું મનાય છે. ૩૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, રૌયપત્ત અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિશ્રિતપત્રમાં લખાએલા ગષિમંડલ, ધંટાકર્ણ,
સદ્ધિ યંત્ર, વીસે યંત્ર વગેરે મંત્ર-યંત્રાદિ જૈન મંદિરમાં ઘણે ઠેકાણે હોય છે. જેના પુસ્તકો લખવા માટે આ જાતનાં કે બીજી "કઇ ધાતુનાં પતરાંઓનો ઉપયોગ કયારે ય થ જણાય નથી.
ભા. પ્રા. લિ. પૂ. ૧૫૨-૫૩માં તામ્રપત્રોમાં કાતરાએલાં દાનપાની મહત્વપૂર્ણ ને આપી છે. એ દાનપત્ર પિકીનાં કેટલાંક દાનપત્રો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવડાં મેટાં છે.
દિલી પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાને ઉલ્લેખ છે 'इयरेण संबपत्तेसु तणुगेसु रायलक्खग रएऊण तिलारसेणं तिम्मेऊण तबभायणे पोत्थओ पक्खित्तो, निक्सित्तो नयरबाहि दुवावेदमज्शे ।' पत्र १८९.