SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જેન ચિત્રકલ્પદ્રુમ તાડપત્રીય પુસ્તકની લાંબી પ્રતોની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને દેરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધને બાંધવામાં આવતું અથવા એ પિથીઓને લાકડાના ડબામાં રાખતા; પરંતુ નાના માપની તાડપત્રીય પ્રતિ ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાંના તૈયાર કરેલા અર્ધખંડા, -નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકો અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપર મેટે ભાગે લાલ અને કઇક વાર ધોળા રંગનું ખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાન ભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પોથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તે પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તે એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે. ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપડું વગેરે મઢવામાં આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતું અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર બેંર્ડર વગેરેની ભાત પાડવામાં આવે છે તેમ ભાતો પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્ર. ૮ આ નં.૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાઅડાએ જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકો ઉપર ચામડાનાં પૂઠાં જે કેટલાક લોકો અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી મૂકે છે. તેમનું ધ્યાન અમે દોરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકે, ગુટકાઓ વગેરેનાં પૂઠાં પાટીઓ માટે ચામડાને ઉપગ બહુ જ છૂટથી થએલો જોવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકોનાં આદિ અંતનાં પાનને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાંના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૨) ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્તકો રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલું લાકડામાંથી બનાવાતા, પરંતુ સુવર્ણાક્ષરી કે રીયાક્ષરી કલ્પસૂત્રાદિ જેવા કિંમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચંદન, હાથીદાંત વગેરેના દાબડાઓ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાદ્ધ પુસ્તકોને રાખવામાં આવતાં–આવે છે. આ દાબડાઓ કેટલીક વાર તદ્દન સાદા હોય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કોતરેલા પણ હોય છે. પોથી અને દાબડા ઉપર નંબરે ઉપર પ્રમાણે તૈયાર થએલી પોથીઓ અને દાબડા ઉપર પોથી નંબર અને દાબડ નંબર
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy