________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૯૩ ઉપદેશતરંગિણી૧૦૩ આદિમાં જોવામાં આવે છે. માંડવગબે મંત્રી પિડિશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધમષને ઉપાસક હતા. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત નગરમાં ભંડાર સ્થાપ્યા હતા. ૧૦૪ આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આસભર (આંબડ), વાગભટ (બાહડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીવરીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણે કે ઉલ્લેખોને સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એને ઉલ્લેખ કરતાં અટકીએ છીએ.
ધનાઢ્ય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાનભંડારે રાજાઓ અને મંત્રીઓ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાઢય જેન ગૃહસ્થો આવે છે. એ ધનાઢ્ય ગૃહસ્થાનાં જે નામો આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણ અશકય છે; એટલે ફક્ત સાધારણું રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢયે જૈન ગૃહસ્થોના નામને પરિચય આપવો એટલું જ બસ ગણાશે.
જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પોતપોતાના કુલગુરુ, ધર્મગુરુના ઉપદેશથી જ્ઞાનસંગ્રહો લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, મ હેપાધ્યાય શ્રી હસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંવ ભીમના પૌત્ર
૧૦૩ “વસ્તુપાલચરિત્રમાં ત્રણ જ્ઞાનભંડારે લખાવ્યાનું જણાવ્યું છે જ્યારે “ઉપરેશતરંગિણી'માં નીચે પ્રમાણે જણાવ્યું છે
'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिर्लेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मनीवञ्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ।' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (म.) पैथडदेवेन एकादशाङ्गी श्रीधर्मधोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाजमध्ये यत्र यत्र 'गोयमा आयाति तत्र तत्र तत्रामरामणीयकप्रमुदितः सौवर्णटक्केः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखन-तत्पकूलवेटनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ -सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे ।'
--૩રાત િપત્ર રૂ. સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પિયડપુરતપૂજાપ્રબંધમાં પણ આને મળો ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્મદેવસૂરિની આજ્ઞાથી કેાઇ સાપુએ આગમ સંભળાખ્યાનું જણાવ્યું છે
“હિતો તતો ગુરિટેજ તિવાજિત ! સાવ II ૬૦” ઈત્યાદિ. ૧૦૫ ધરણાશાહે લખાવેલ છવાભિગમવત્તિ, ઓપનિયુક્તિસટીક, પ્રજ્ઞા ટીક, અંગવિધા, કપૂરભાષ્ય, સસિદ્ધાન્તવિષમપદપર્યાય, ઇશાસન આદિ પુસ્તકે જેસલમેરના તાડપત્રીય ભંડારમાં વિદ્યમાન છે, જેના અંતમાં નીચે લખેલને મળતા નાના મોટા ઉલ્લેખ છે
संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपालंकारश्रीगच्छनायकत्रीजिनभद्रसूरिगुरुगामादेशेन पुस्तकमेतलिखित शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाझ्यासहितेन ।'