SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૭૧ ૩૨ ૩૩. સંમેાધનનું બહુવચન, મિસ્તિષ્ઠતિતિવૃન્તિ, મળતિયાન્તિનિશ્ચિત સપ્તમીનું એકવચન, તેતેમણને ત્રીજા પુરુષનું દ્વિવચન, તેતેમમંદરે ત્રીજા પુરુષનું બહુવચન ત્યાદિ. સંમેાધન માટે કેટલીકવાર માત્ર હું પણ કરવામાં આવે છે, જેમકે: પફેવિટ્રોRsિમિક્ષયઃ ઇત્યાદિ. સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીએ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્નને સાર્વત્રિક ઉપયેગ પણ કરે છે. ૧૩ અન્વયદર્શક ચિ ૮૮ ૭૧ તેરમા વિભાગમાં ‘અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડાર છે, એનેા ઉપયાગ તર્કગ્રંથામાં જ્યાં અર્થની ભ્રાંતિ થવાને સંભવ હોય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના ક્ષેાકોમાં પદેશ આડાંઅવળાં હોઈ તેના અન્વય દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે નતોડીસર વયુંવૈજ્ઞપ્રત્યાં આ વાકયમાં આંકડા મૂકવામાં ન આવ્યા હોય તા જરૂર અર્થની ભ્રાંત થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વસંવેદનપ્રત્યક્ષ નથી’ અને ‘તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાંતર નથી' એમ એ પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ એ અર્થમાંથી વાસ્તવિકરીતે અહીં કયા અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાકયમાં ‘અન્વયńક ચિ' એટલે કે અન્વયદર્શક અંકો કરવામાં આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ શ્લોકોમાં પદાને અન્વય દર્શાવવા માટે અંકો કરવામાં આવે છે. ૧૪ ટિપ્પનકદર્શક ચિન ચૌદમા વિભાગમાં ‘ટિપ્પનકદર્શક ચિન' છે. એ ચિહ્ન, ચાલુ કોઇપણ પાને અંગે પાહભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાનાં હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પારભેદ આદિની નોંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે. ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ પંદરમા વિભાગમાં આપેલ ચિહ્નો ‘વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્નો' છે. આ ચિહ્નોને ઉપયેગ, લાંબાં લાંબાં વાક્યમાં દૂર દૂર રહેલાં વિશેષ્ણુ અને વિશેષ્યને પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિત્ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહેજમાં પકડી લે છે–સમજી લે છે. ૧૬ પૂર્વપદપરામર્શક ચિ સાળમા વિભાગમાં ‘પૂર્વપદપરામર્શક ચિહ્નો’ આપવામાં આવ્યાં છે, તર્કશાસ્ત્રના ગ્રંથેામાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્ચના નિર્દેશ કરતા તત્ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પા ન કરવાં પડે અને વસ્તુ આપોઆપ સમજાઇ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથમાં આવતા એ સત્ શબ્દોથી જે જે અર્થ લેવાનો
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy