________________
sanataMaNASAREMMIN MENARANAMMANAMAMSINARANASAN SAMMASINI
પ્રવાસમાં વજ્ય ભદ્રનાં સ્થાન અને કાળ કહે છે – चउद्दसी अहमी सत्तसीए, राका चउत्थी दसमीइ भद्दा । एगारसी तीअ कमा दिसाहिं, तस्संखजामेऽभिमुहाऽतिपावा ॥१५॥
અર્થ_રૌદશ, આઠમ, સાતમ, પુનમ, ચોથ, દશમ, અગીયારશ અને ત્રીજની ભકા અનુક્રમે ૧ પૂર્વાદિ આઠ દિશાવિદિશામાં અને દિશાની સંખ્યાવાળા એકેક પહેરમાં સન્મુખ હોય છે તે અતિ દુષ્ટ છે ૧પા
વિવેચન–દિવસની ભદ્રા દિવસના ચાર પહોરમાં અને રાત્રિની ભદ્રા રાત્રિના ચાર પહેરમાં પુર્વાદિ આઠ દિશા વિદિશામાં વર્જ્ય છે. તેમાં દિશા અને પહર તે સમાન આંકવાળા જ લેવાના છે. અર્થાત્ પહેલે પહોરે પુર્વમાં, બીજે પ્રહરે અગ્નિ ખૂણામાં એમ જવાના છે. પણ ભદ્રાની તિથિએ આડી અવળી છે, જેને ક્રમ ચૌદશ વિગેરે સંખ્યાથી આપેલ છે ત્રણના મેળાપથી ભદ્રાની સન્મુખતા આ પ્રમાણે છે
ચૌદશે પહેલા પહોરમાં પૂર્વદિશાએ ભદ્રા સન્મુખ છે, આઠમે અગ્નિખૂણામાં બીજા પ્રહરમાં સન્મુખ ભદ્રા છે, સાતમે ત્રીજા પહેરે દક્ષિણમાં, પુનમે ચોથા પહોરે નૈત્યમાં, ચોથ તિથિએ પાંચમાં પહેરે પશ્ચિમમાં, દશમે છઠ્ઠા પહોરે વાયવ્યમાં, અગીયારશે સાતમા પહેરે ઉત્તરમાં અને ત્રીજની રાત્રે આઠમાં પહોરે ઈશાન ખુણામાં સન્મુખ ભદ્રા છે. પ્રયાણદિક કાર્યમાં સન્મુખ ભદ્રા અશુભ છે, અને પાછળની ભદ્રા શુભ છે. માટે સન્મજીની ભદ્રાને અતિ દુષ્ટ જાણી તેને ત્યાગ કરવો. પ્રવાસની વિજયભદ્રા જાણવાને બીજી રીતને પણ શ્લેક મળે છે.
घुजादृणी सिते पक्षे, गृछियूढ सितेतरे ।
व्यञ्जनै स्तिथयो ज्ञेयाः, स्वरेश्च प्रहरा दिशः” ॥१॥ અથ–શુકલ પક્ષમાં ઘૂજાદ અને , તથા કૃષ્ણપક્ષમાં ગયૂિ અને ૮ ભદ્રા લાવવાના અક્ષરો છે, તેમાં વ્યંજનના આંકથી તિથિઓની સંખ્યા અને સ્વરના આંકથી પ્રહર તથા દિશાની સંખ્યા જાણવી” ૧ | જેમકે-ધ એ ચોથે વ્યંજન છે, અને ઉ પાંચમો સ્વર છે; તેથી શુદીમાં ચોથને દિવસે રાત્રે પાંચમા પહોરે પાંચમી (પશ્ચિમ) દિશામાં જનારને સન્મુખ ભદ્રા છે. આ પ્રમાણે દરેક તિથિ માટે વ્યંજન અને સ્વરની સંજ્ઞાથી સમજી લેવુ. નારચંદ્રમાં
----
૧ પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન; એ આઠ દિશાવિદિશા છે. જુઓ પ્રયાણદ્વાર ગાથા ૭ર નું વિવેચન. SENESTE NECESIE DEN B I NNENLESERENELLNESS DELIESENLEVELEVENESSES
૫૪