SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ MMMMDANMMMMMHANAMMANAMMAMMAMMAMMA છઠ્ઠની નવ ઘડી, આઠમની ચૌદ ઘડી, નોમની પચીશ ઘડી, બારશની દશ ઘડી, અને ચૌદશની દશ ઘડી અશુભ છે અને તેટલી ઘડીઓ ભોગવ્યા પછીની તેજ છિદ્રતિથિએ પણ શુભ છે. આ વર્ય ઘડીઓ ૬૦ ઘડી પ્રમાણુવાળી તિથિની છે, પણ તિથિમાનમાં અમુક ઘડીઓની વૃદ્ધિ હાનિ થતાં તિથિમાં જેટલી વૃદ્ધિ હાનિની ઘટિકા હોય છે તેટલા પળની વૃદ્ધિ હાનિવાળી જ આ ઘડીઓ લેવાય છે. તથા ક્ષયતિથિ અને વૃદ્ધિતિથિ પણ શુભ કાર્યમાં વસ્યું છે. સૂર્યોદય થાય ત્યારે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ છે, અને તેજ તિથિ બે સૂર્યોદયને જુવે તે વૃદિતિથિ કહેવાય છે, તેમાં પહેલી વૃદ્ધિતિથિ અને બીજી પ્રકૃતતિાવે છે. વળી જે તિથિ છે સૂર્યોદયને ન જુવે તે પૂર્વની તિથિમાં લય પામવાથી ક્ષયતિથિ કહેવાય છે. અથવા જે તિથિ ત્રણ વારને સ્પર્શ કરે તે વૃદ્ધિ કે ફાલ્ગતિથિ કહેવાય છે. અને જે ત્રણ તિથિઓ એક વારમાં આવે તે પૈકીની વચલી ક્ષયતિથિ કહેવાય છે. આ બન્ને તિથિઓની દરેક ઘડીઓ શુભકાર્યમાં ત્યાજ્ય છે. જેમકે શુદિ બીજ અને સોમવાર હોય, પછી સોમવારની રાત્રિના અંતભાગની ૪૫ પલ બાકી રહેતાં ત્રીજને પ્રારંભ થાય અને મંગળવાર પૂર્ણ થતાં સુધી ત્રીજ રહે, તેમજ બુધવારના સવારે ઘડી એક ૧ પછી ચેથ બેસે, તે અહીં સોમ, મંગળ અને બુધ એમ ત્રણ વારને સ્પર્શનારી ત્રીજ વૃદ્ધિતિથિ કહેવાય છે. વળી તે મંગળવાર અને બુધવાર એમ બે વારના સૂર્યોદયને જુવે છે, તે મંગળવારે ત્રીજ વૃદ્ધિરૂપે તથા બુધવારે ત્રીજ સ્વાભાવિક રૂપે મનાય છે. એટલે સેમવારની રાત્રિથી બુધવારના સવાર સુધીની ત્રીજની ૬ શુભ કાર્યમાં વર્જ્ય છે, પણ બુધવારે ૧ ઘડી પછી વૃદ્વિતિથિને દોષ નાબુદ થાય છે. આજ રીતે સોમવારે સવારે ઘડી એક આઠમ હોય, અને પછી મને પ્રારંભ થાય છે. છેવટે સોમ વારની રાત્રિના અંતમાં ઘડી બાકી રહેતાં દશમને પ્રારંભ થાય, તે અહીં આઠમ નામ અને દશમ એમ ત્રણ તિથિએ સોમવારે આવે છે, તે પૈકીની વચલી નેમ છે. તે સૂર્યોદય થયા પછી શરૂ થઈ અને બીજા સૂર્યોદય પહેલાં પૂર્ણ થઈ જાય છે, તેથી નામ ક્ષયતિથિ છે; અને સોમવારે નામની ઘડી ૫૮ શુભકાર્યમાં વસ્યું છે. આ ક્ષયતિથિમાં કાર્યને ક્ષય થાય છે, અને વૃદ્ધિતિથિમાં કાર્ય કરવાથી ઉત્પાત થાય છે, માટે ક્ષયતિથિ અને વૃદ્ધિતિથિને શુભકાર્યમાં સર્વથા ત્યાગ કરે હિતાવહ છે, સારંગમાં “નિરબ્યુના સન્ન, તથા કૃદ્ધિા તિઃ Ps અથ_“જેમ જળ વડે અગ્નિ નાશ પામે છે તેમ તિથિને વૃદ્ધિ-ક્ષય હતા લગ્ન નાશ પામે છે.” વળી કુરતિથી તથા દશ્યતિથિ પણ વર્જવા લાયક છે. આ બન્ને તિથિનું લક્ષણ | દ સૂર્યોદય પછી પળ ૩૭થી અધિક પ્રમાણુવાળાં તિથિ અને નક્ષત્ર પ્રમાણ છે, એમ ઉમાસ્વાતિ મહારાજનું કથન હોવાનું સાંભળ્યું છે. ૪૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy