SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ NaranasanakasasamanINANTNAAN NasaTMANDSAMISASamasaMAMMOOTTI रविक्षेत्रगते जीवे, जीवक्षेत्रगते रवौ। दीक्षामुपस्थापनां वा, प्रतिष्ठां च न कारयेत् ॥३॥ અથ–સિંહનો ગુરૂ હોય તો પુરૂષ ઉપરા-ઉપરી પાંચ કન્યા સાથે વિવાહ કરે છે; અર્થાત્ ચાર સ્ત્રી મૃત્યુ પામે છે. માટે સિંહસ્થ ગુરૂમાં વિવાહ, મુડન, વ્રતબંધન, દીક્ષા, પ્રવાસ અને પ્રતિષ્ઠા વિગેરે કાર્યનો ત્યાગ કરે [૧] સિંહસ્થ ગુરૂ હોય તે વિવાહમાં શેક, વ્રતમાં મૃત્યુ, મુંડનમાં દરિદ્રતા, યાત્રામાં નિષ્ફળતા, દીક્ષામાં મૂઢતા અને પ્રતિષ્ઠામાં વિશ્વ વિગેરે ફળ મળે છે, માટે સિંહસ્થ ગુરૂમાં સર્વ કાર્યને ત્યાગ કરે. [૨] રવિના ક્ષેત્ર સિંહ રાશિમાં ગુરૂ હોય અને ગુરૂનાં ક્ષેત્ર ધન તથા મીન રાશિમાં રવિ હોય ત્યારે દીક્ષા ઉપસ્થાપના (વડી દીક્ષા) તથા પ્રતિષ્ઠા કરાવવી નહિં. તેમજ સિંહસ્થ ગુરૂમાં ઉજમણું, નવું વ્રતગ્રહણ વિગેરે વજવા. [૩] સપ્તર્ષિ કહે છે કે સિંહસ્થ ગુરૂ હોય ત્યારે વિવાહ કો નહિ, પણ ગંગાની ઉતર તરફ અને ગોદાવરીના મધ્ય પ્રદેશમાંજ સિંહસ્થ ગુરૂ ત્યજ. - શૌનક વિગેરે કહે છે કે-સિંહસ્થ ગુરૂ મઘા નક્ષત્રમાં હોય ત્યાં સુધી જ અશુભ છે. પારાશર કહે છે કે—સિંહસ્થ ગુરૂ સિંહ રાશિના પ્રથમ પાંચ નવાંશ ભગવે ત્યાં સુધી જ અશુભ છે, અને ત્યાર પછી શુભ છે. મુહર્તચિંતામણિકાર તે કહે છે કે–સિંહસ્થ ગુરૂ હોય તે પાંચ સિંહનવમાંશજ સર્વથા ઈટ છે, માટે તેનો ત્યાગ કરી દીક્ષા, પ્રતિષ્ઠા વિવાહ આદિનું મુહુર્ત લેવું. મેષમાં જ્યારે ગુરૂ હોય ત્યારે સિંહસ્થ ગુરૂને દેષ હણાય છે, મુહૂર્ત ચિંતામણિમાં પણ આ સ્પષ્ટ વિધાન છે. કેટલાક આચાર્યો સિંહસ્થ ગુરૂની નિર્દોષતા માટે કહે છે કે-- सिंहडिअ जइ जीवो, महभुतं होइ अह रवि मेसे । तो कुणइ निव्विसंकं, पाणिग्गणाइ कल्लाणं ॥१॥ - અથ–સિંહસ્થિત ગુરૂ જ મઘા નક્ષત્ર ભેળવી લ્ય, અથવા મેષ રાશિમાં રવિ હોય, તે નિઃશંકપણે પાણિગ્રહણ વિગેરે કલ્યાણ માંગલિક કાર્ય કરવા / ૧ / નીચ રાશિને ગુરૂ પણ શુભ કાર્યમાં વજેલ છે, તે વિષે વિવાહ પટલમાં કહ્યું છે કે वाक्पतौ मकरराशिमुपेते, पाणिपीडन विधिन विधेयः । तत्र दूषण मुशन्ति मुनीन्द्राः केवलं परमनीचनवांशे ॥१॥ અર્થ—ગુરૂ મકરરાશિમાં આવે ત્યારે વિવાહ કરવો નહિ. પરંતુ કેટલાક મુનિઓ મકરના નીચ નવાંશમાંજ દોષ માને છે. ૩૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy