________________
SAMMMMMMMMMasakan Sam MasasasasamaMMMMMANANDMINE
नवमे दशमे मार्गाः, सरला लाभ रिष्यगे ॥२॥
[ સા મ ર રા પાયાન્તર ] અથ–સૂર્યથી છુટા થયા પછી સવ ગ્રહે ઉદય પામે છે, સૂર્ય બીજી રાશિમાં જાય ત્યારે તે શીવ્ર ગતિવાળા થાય છે, સૂર્ય ત્રીજી રાશિમાં જતાં તે સમગતિ કરે છે, સૂર્ય જેથી રાશિમાં જતાં મંદગતિવાળા થાય છે, સૂર્ય પાંચમે છઠે હેય ત્યારે વક થાય છે, સુર્ય સાતમે આઠમે હતાં અતિવક્ર થાય છે. સૂર્ય નવમે દશમે જતાં માર્ગગામી થાય છે. અને સૂર્ય અગીયારમી બારમી રાશિયે જાય ત્યારે સરલ થાય છે. આ રીતિ મંગળ ગુરૂ અને શનિને આશ્રીને છે, બાકી બુધ અને શુક તે સૂર્યની પાસે જ અતિચારી થાય છે.
જ્યારે ગ્રહ સિધી ગતિમાંથી વામ ગતિવાળા થઈ પાછલી રાશિમાં જાય ત્યારે તે વકી કહેવાય છે અને મંગળ વિગેરે વક્રી થયા પછી અનુક્રમે ૬૫-૨૧-૧૧૨-૧ર અને ૧૩૪ દિવસ વક્રગતિવાળા રહે છે.
ગ્રહ નિત્યની સામાન્ય ગતિ કરતાં વધારે ઝડપથી રાશિનો ભોગ કરે ત્યારે તે અતિચાર ગમન કહેવાય છે. તેઓના અતિચાર દિવસ કેટલા છે તે લઠ્ઠ એક લોકથી જણાવે છે–
पक्षं दशाहं त्रिपक्षी, दशाहं मासषट्त्रयी ।
अतिचारः कुजादीना-मेष चारस्त्वितोऽपरः ॥१॥ અથ-મંગળ બુધ ગુરૂ શુક્ર અને શનિના અતિચારના દિવસો અનુક્રમે ૧૫-૧૦-૪૫ -૧૦ અને ૧૦૦ છે, ત્યાર પછીના દિવસે ચાર ગતિવાળા કહેવાય છે.
આ મંગળ વિગેરે પાંચ ગ્રહો વક્રી થયા હોય તે પછીની રાશિનું અને અતિચારી થયા હોય પૂર્વની રાશિનું ફળ આપે છે. પ્રશ્નપ્રકાશકાર તો કહે છે કે– ગુરૂ અને શનિ તે પિતાની વિદ્યમાન રાશિનું ફળ આપે છે. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે-વક્રી કે અતિચારી ગુરૂ વિનાના દરેક ગ્રહ પૂર્વ રાશિનું ફળ આપે છે. દરેક ગ્રહે આ પ્રમાણે ફળ આપે છે
पक्ष दशाहं मासं च, दशाहं मासं पञ्चकम् ।
वक्रेऽतिचारे भौमाद्याः पूर्वराशिफलप्रदाः ॥१॥ અથ–વકી કે અતિચારી મંગળ વિગેરે ૧૫-૧૦-૩૦-૧૦ અને ૧૫૦ દિવસ સુધી પૂર્વરાશિ (વક્રી કે અતિચારી થવાની રાશિ) નું ફળ આપે છે. મુહૂર્ત ચિંતામણિમાં વકી
વકી ગ્રહે ભગવાતું નક્ષત્ર અપઢારિત કે વિડવર કહેવાય છે.
૨૨