SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Bananananananasababaraha BABA Nasaaranasanasanahamisasasalahan Rasa ત્રીસ દિવસમાં આખી રાશિ ભેગવી બીજી રાશિમાં સંક્રમે છે. તે જ રીતે ચંદ્ર ૧૩૫ ઘડીમાં, મંગળ દોઢ માસમાં, બુધ એક માસમાં, ગુરૂ તેર માસમાં, શુક એક માસમાં, શનિ અઢી વર્ષમાં તથા રાહુ અને કેતુ દેઢ વર્ષમાં એકેક રાશિને ઉપભોગ કરે છે. આ દરેક ગ્રહ અનુક્રમે મેષાદિ બાર રાશિમાં ભમે છે. પણ રાહુ અને કેતુ તે બાર રાશિમાં અવળી રીતે ફરે છે, કેમકે તેમની વામગતિ ગણાય છે. ચન્દ્ર વગરના આઠ ગ્રહોને રાત્રિને એકેક ત્રિશાંશ ભેળવવામાં ૧-૧ – ૧ ૧૩-૧-૩૦-૧૮ અને ૧૮ દિવસ લાગે છે, અને ચન્દ્રને સાડાચાર ઘડી લાગે છે. તથા શશિનો દ્વાદશાંશ ભોગવવાને ત્રીશાંશ કાળથી ૨ ગણે, દ્રષ્કાણ ભેગમાં ત્રીશાંશથી દશ ગણે, હરાભગમાં ત્રીશાંશથી ૧૫ ગણે અને રાશિભેગમાં ત્રીશાંશથી ત્રીશ ગણે કાળ લાગે છે તથા રાશિને નવાંશ ભોગવવાને રવિને દિન ત્રણ ઘડી વીશ, ચન્દ્રને ઘડી પંદર, મંગળને દિન પાંચ બુધને દિન ત્રણ ઘડી વીશ, ગુરૂને દિન તેંતાલીશ ઘડી વિશ, શુકને દિન સાત ઘડી વીશ શનિને દિન સો, રાહુને દિન સાઠ, તથા કેતુને દિન સાઠ લાગે છે. રાશિના અર્ધા ભાગને હોરા, ત્રીજા ભાગને દ્રોકાણ અને તેથી અધિક ગમે તે ભાગને તેટલામો અંશ એવા નામથી સંબોધાય છે. જેમકે–શિને નવમ ભાગ તે નવમાંશ, બારમે ભાગ તે દાદશાંશ અને ત્રીશમે ભાગ ત્રિશાંશ વિગેરે. આ ગ્રહ પૂર્વમાં ઉગે છે, અને પશ્ચિમ માં આથમે છે. પણ બુધ અને શુક્ર પૂર્વમાં પણ આથમે છે, અને પશ્ચિમમાં પણ ઉગે છે. તેમાં સૂર્ય ચાર પહોર આથમે છે, અને તે સિવાયના ગ્રહ સૂર્યના અમુક અંશમાં જવાથી અસ્ત પામે છે. અસ્ત અને ઉદયના અંશેનું પ્રમાણ આ પ્રમાણે છે-- - સૂર્યના ૧૨ ત્રીશાંશ મથે ચન્દ્ર, ૧૭ ત્રીશાંશ મધ્યે લેમ, ૧૩ ત્રીશાંશ મધ્યે બુધ ૧૧ ત્રીશાંશ મધ્યે ગુરૂ, ૯ ત્રિશાંશ મધ્યે શુક્ર અને ૧૪ ત્રીશાંશ મધ્યે શનિ અસ્ત પામે છે. સૂર્યના તે ત્રીશાંશ બહાર હોતાં ગ્રહોને ઉદય જ હોય છે. તે અસ્ત પામેલા મંગળ આદિ ગ્રહ ચાર માસ, સેળ દિવસ, બત્રીસ દિવસ, નવ દિવસ અને બેતાલીશ દિવસ અસ્ત રહી ઉગે છે. ચન્દ્ર બે દિવસ અસ્ત રહી ત્રીજે દિવસ ઉગે છે અને બુધ તથા શુક્ર પૂર્વમાં આથમે ત્યારે છત્રીશ અને સત્યોતેર દિવસ પછી ઉગે છે. વળી ઉદ્ગમનના દિવસથી માંડીને ચંદ્ર દિવસ અઠ્યાવીશ, મંગળ દિન છસો સાઠ, બુધ દિવસ છત્રીશ, ગુરૂ દિવસ ત્રણસે તેર, શુક્ર દિન બસ એકાવન અને શનિ દિન ત્રણ બેંતાલીશ સુધી અસ્ત થતું નથી. - સૂર્ય રાશિથી બાર રાશિમાં ફરતાં મંગળ વિગેરે પાંચે ગ્રહે કયા ભાવને પામે છે?” તે માટે પ્રસનશતકની વૃત્તિમાં કહેલ છે કે सुर्यभुक्ता उदीयन्ते, शीघ्रा अर्के द्वितीयगे। समं तृतीयगे यान्ति, मन्दा भानौ चतुर्थगे ॥१॥ ELSESENENESESESVESENESESEISESEISESELELESE SEXYESASIESES SESESEISESELERESSE ૨૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy