________________
Mmasasasasasasasasamasasasasasamasama mabasa amaranmadarasa પિણ કરી પંદર ઘડીમાં હીનાધિક કરવા, એટલે મધ્ય રેખાથી તે નગર પૂર્વમાં હોય તો તે પળે બાદ કરવા, અને પશ્ચિમમાં હોય તે તે પળો વધારવા. પછી આ સંખ્યાવડે તે ઈષ્ટ દિવસના અર્ધ દિનમાનમાં ઘડીનું આંતરૂં કાઢવું. જે તે સંસ્કાર સંખ્યા દિનાર્ધમાનથી ઓછી હોય તો તે આંતરા પ્રમાણ ઘડીથી સૂર્યોદય પછી વાર પ્રવેશ જાણ, અને તે સંખ્યા દિનાર્ધમાનથી અધિક હોય તો સૂર્યોદય પહેલાં આંતરા પ્રમાણ ઘડીપળથી વાર પ્રવૃત્તિ જાણવી. જેમકે—બનારસની વાર પ્રવૃત્તિ જાણવી હોય તે, તે નગર મધ્યરેખાવાળા કુરુક્ષેત્રથી ૬૩ જન છે, તેને પિણ કરતાં ૪૭ (૪૭) આવે છે, બનારસ મધ્યરેખાથી પૂર્વમાં હવાથી ૧૫ ઘડીમાંથી ૪૭ પળ બાદ કરતાં ૧૪ ઘડી ૧૩ પળ આવે છે. ઈષ્ટ દિવસનું અર્ધદિનમાન ૧૭ ઘડી ૨ પળ છે, જેના કરતાં ૧૪ ઘડી ૧૩ પળ ઓછા છે, અને બન્ને વચ્ચે ૨ ઘડી ૪૯ પળનું આતરૂં છે, તો બનારસમાં ૩૪ ઘડી ૪ પળનું દિમાન હોય ત્યારે સૂર્યોદય પછી ૨ ઘડી ૪૯ પળે વાર પ્રવૃત્તિ થાય છે. આ સિવાય બીજી રીતિઓ પણ મળે છે, આ વાર પ્રવૃત્તિ હોરા અર્ધપ્રહર આદિ માટે જરૂરી છે, પણ તિથિ અને નક્ષત્રથી થતા એગોમાં તો વાર સૂર્યોદયથી ગણાય છે. | ૪ |
હવે વારને આશ્રીને સુવેળા કહે છે –
चउघडिअ सुवेला एग दो छच्च सूरे, पण इग अड सोमे अट्ठ चऊ सत्त भोमे । छ तिअ अड बुहम्मि पच दोसत्त जीवे,
छ अडिग चउ सुक्के तिन्नि सत्तट्ठ पंच ॥५॥ અથ–રવિવારે પહેલું બીજું અને છઠું ચોઘડીયું, સોમવારે પાંચમું પહેલું અને આઠમું ચોઘડીયું, મંગળવારે આઠમું છું અને સાતમું ચેઘડીયું, બુધવારે છઠું ત્રીજું અને આઠમું ચેઘડીયું, ગુરૂવારે પાંચમું બીજું અને સાતમું ચેઘડીયું, શુક્રવારે છઠું આઠમું પહેલું અને ચોથું ચેઘડીયું, તથા શનિવારે ત્રીજું સાતમું આઠમું અને પાંચમું ચેઘડીયું સુવેળા છે.
વિવેચન--અહીં દિવસના અષ્ટમાંશ એટલે અર્ધ પ્રહરને ચોઘડીયું એવી સંજ્ઞા આપેલ છે તે ઉત્કૃષ્ટ દિનમાન હોય ત્યારે ચાર ઘડીથી અધિક, અને જઘન્ય દિનમાનમાં ચાર ઘડીથી ઓછા પ્રમાણુવાળું હોય છે. દિવસના આઠ ચેઘડીયામાં કેટલાક ચોઘડીયા કુલિક કંટક વિગેરે દેથી દુષિત છે, માટે જેટલા ઘડીયો શુભ છે તેની તારવણી કરી તેને