SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ MANARADANTISEMENAMBANananananananaRaMDaNana S MMINENTNanana વિવેચન–સૂરિ મહારાજ જિનમંદિરમાં પ્રવેશ કરવાની દિનશુદ્ધિ દેખાડે છે. પણ નવું ગામ, નવું ઘર, સુધારેલ ઘર, રાજમહેલ, જિનમંદિર, વિગેરે દરેકમાં પ્રવેશ કરવા માટે એક સરખી દિનશુદ્ધિ જોવાય છે, જે નીચે મુજબ છે – નવા ગામમાં તે અનુકૂળ રાશિ તથા કાંકણી વિગેરે તપાસી શુભ દિવસમાં પ્રવેશ કરે તે માટે કહ્યું છે કે–પિતાની જન્મરાશિથી ગામની રાશિ પહેલી ત્રીજી છઠ્ઠી કે સાતમી હેય તે પિતાનું દ્રવ્ય નાશ પામે છે અને પગલે પગલે પીડા થાય છે. ચોથી આઠમી કે બારમી રાશિ હોય તે દ્રવ્ય જ્યાં પિદા થાય ત્યાંજ ખર્ચાય છે-નાશ પામે છે. બીજી નવમી દસમી કે અગીયારમી હોય તે ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. (આ, ૩} ૨૩ ટકા) શિલ્પગ્રન્થમાં કહ્યું છે કે-ગામ અને પિતાના બન્ને વર્ગને પાસે પાસે સ્થાપવા. પહેલાને બમણું કરી બીજા ઉમેરવા, અને આઠથી ભાગ દે. શેષ વધે તેટલી કાંકણી પહેલા વર્ગવાળે માગે છે. ઉત્ક્રમે સ્થાપી બીજા વર્ગ માટે પણ આજ રીતે તપાસવું. જેમકે વિશ્વનગરમાં ધનંજય રહેવા ધારે છે. તે ગામને વર્ગ સાતમે અને મનુષ્યને વગ પાંચમે છે. સાતને બમણું કરી પાંચ ઉમેરી આઠે ભાગતાં ત્રણ વધે છે. આ રીતે ગામ ધનંજય પાસે ૩ કાંકણી માગે છે. વળી પાંચને બમણુ કરી સાત ઉમેરી આડે ભાગતાં શેષમાં ૧ રહે છે, જેથી મનુષ્ય ગામ પાસે એક કાંકણી માગે છે. આ રીતે ગામ ધનંજય પાસે માગે છે એમ સમજી શકાય છે. બીજી રીતે ૫-૭૮=૭. ૧ , ૭-૫-૮=+=૧, આ રીતે પ્રથમ અક્ષરવાળે દેવાદાર મનાય છે; એટલે-પુરૂષ ૧ વસાન દેવાદાર છે. આ રીતે તપાસીને પ્રવેશની શુદ્ધિ લેવી. મુહુર્ત ચિંતામણમાં કહ્યું છે કે-પ્રવેશ માટે ઉત્તરાયણ, મહા, ફાગણ, વૈશાખ, અને જેઠ મહિના શ્રેષ્ઠ છે; કાર્તિક તથા માગશર મધ્યમ છે. એક બિંબ પ્રવેશવિધિમાં કહ્યું છે કે મહા માસમાં ગૃહ ચૈત્યમાં બિંબપ્રવેશ કરાવે છે તે અગ્નિને ભય કરાવે છે, એટલે તે અશુભ છે, પણ શ્રાવણમાં બિંબપ્રવેશ રૂડો જાણવે. તિથિઓમાં-–૧-૨-૩-૭-૧૧ શુભ છે પ્રયાણથી નવમી તિથિ, વૃદ્ધિ તિથિ, હાનિતિથિ, રિકતાતિથિ, દગ્ધાતિથિ, કૃરતિથિ, આઠમ અને અમાસ વજર્ય છે છ અને બારશ ધ્રુવ કાર્યમાં શ્રેષ્ઠ છે, પણ તેમને તે અવશ્ય ત્યાગ કરે જોઇએ. વારમાં–સોમ ગુરૂ અને શુક શુભ છે, બુધ અને શનિ મધ્યમ છે, રવિ અને મંગળવાર અશુભ છે, કેમકે તેમાં પ્રવેશ કરવાથી રેગ અને પ્રકોપ થાય છે, જે કે શનિવાર કૃર છે, પણ ઘરના કાર્યમાં તે શુભ છે. પ્રયાણના વારથી નવમેવાર પણ ત્યાજ્ય કહેલો છે. ૨૬૪
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy