________________
GRADONASINISTRAS Darasa
La WANANANANIMARAMINYA આચાર્ય વિગેરેએ પિતાની જાતે જ કરવાનું છે, અને તેમાં ચંદનની પુજા કરવા પૂર્વક શસ્ત્ર, દર્પણ, અક્ષમાળા, પુસ્તક, તથા શ્વેત વસ્ત્ર વિગેરે સ્થાપી શકાય છે, પણ શંખ, દારૂ, ઔષધ તેલ, મીઠું ગેળ, જેડા, કાળું વસ્ત્ર, જીર્ણ વસ્ત્ર, કે જીર્ણ વસ્તુ સ્થાપવી ઉચિત નથી; એમ આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે.
પ્રમાણમાં અનુકુળ લગ્ન વિગેરેનું ફળ કહે છે.
पहि कुसलु लग्गि तिहि कज सिद्धि लाभ मुहूत्तओ होइ । रिक्खेण आरोग्गं, चंदेणं सुक्खसंपत्ती ॥६॥
અથ–પ્રયાણમાં શુભ લગ્ન હોય તે માર્ગમાં કુશળતા રહે છે, શુભ તિથિ હેય તે કાર્યની સિદ્ધિ થાય છે, શુભમુહત હેય તે લાભ થાય છે, શુભ નક્ષત્ર હેય તે શરીરે આરોગ્ય રહે છે, અને શુભ ચંદ્ર હોય તે સુખ સંપત્તિ મળે છે.
વિવેચન–પ્રયાણ કાળે શુભ લગ્ન હોય તે પ્રયાણ કરનારના શરીરે કુશળતા રહે છે, વ્યાધિ કે શત્રુને ભય થતું નથી. આ કથનથી ગ્રંથકાર સૂરિ મહારાજે યાત્રામાં લગ્નની આવશ્યકતા દેખાડી છે, પણ તે યુદ્ધ કરવા જનાર રાજા માટે જ જરૂરી છે, તેથી લગ્નના બલબલ સંબંધી અહીં જરાય ઉલેખ કર્યો નથી.
આરંભસિધિ–વિગેરે બીજા ગ્રન્થમાં તે સબંધી જે જણાવેલ છે, તેને સંક્ષેપ નીચે મુજબ છે.
પ્રયાણકાળે તાત્કાલિક લગ્ન કુંડળીમાં જન્મનું લગ્ન હાય, જન્મ લગ્નના ઉપચય સ્થાનનું લગ્ન હય, જન્મકાળની સૌમ્ય ગ્રહવાળી–વેશ કે દુર ગ્રહના ભોગ પછી ચંદ્ર શુદ્ધ કરેલ રાશિનું લગ્ન હેય ચોથે કે સાતમે સ્થાને સૌમ્ય ગ્રહવાળી જન્મ લગ્નની રાશિ હોય, જન્મ લગ્નથી છઠ્ઠા, આઠમા સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય, જન્મના ચંદ્રથી છઠ્ઠી, આઠમી રાશિનું લગ્ન ન હોય જન્મ લગ્નથી છઠ્ઠા, આઠમા સ્થાનની રાશિ લગ્નમાં ન હોય કક, વૃશ્ચિક અને મીનનું લગ્ન કે નવાંશ ન હય, જે દિશામાં પ્રયાણ કરવું હોય તે દિશાનું લગ્ન હોય; એટલે પુર્વમાં જવામાં મેષ, સિંહ અને ધન, દક્ષિણમાં જવામાં વૃષભ, કન્યા અને મકર, પશ્ચિમમાં જવામાં મિથુન, તુલા અને કુંભ, તથા ઉત્તરમાં જવામાં કર્ક, વૃશ્ચિક અને મીનનું લગ્ન હય, સામાન્ય રીતે મિથુન, સિંહ, કન્યા, અને તુલાનું લગ્ન હોય; ઉર્ધ્વ મુખી હેરા હોય, શુભ કાણું હોય, બુધ, ગુરૂ અને શુકનો નવાંશ હોય, મિથુન, સિંહ, કન્યા અને તુલાને દ્વાદશાંશ હોય, અને બુધ, ગુરૂ કે શુક્રનો ત્રીશાંશ હોય તે તે લગ્ન શુભ છે.
લલ કહે છે કે –સ્વલગ્નને યાત્રામાં ત્યાગ કરે.
૨૦પ