________________
SMMMMMMMMMMMMINAMENAMBADANANANANANANANANANANAKORENTINA
सेवाइ हवइ निष्फल, करसण अफलो य दाहं गिहपवेसे ।
विजारंभे य जडं, वत्थुवावरइ भसमसायं ॥२॥ અર્થ –“શુભ કાર્યમાં આ ગ્રહ જન્મનક્ષત્રનો ત્યાગ કરશે. કેમકે તેમાં વિવાહ કરે તે વિધવા થાય છે, ગમન કરે તે મૃત્યુ પામે છે ચૈત્યની પ્રતિષ્ઠા કરે તે મંદિરને શ્વેશ થાય છે. સેવા કરે તે નિષ્ફળ જાય છે, ખેતી કરે તે નકામી થાય છે. ઘરમાં પ્રવેશ કરે તો અગ્નિ ઉત્પન્ન થાય છે, વિદ્યાનો આરંભ કરે તે જડ થાય છે, અને જે વસ્તુ વાપરે તે વસ્તુ ભસ્મસાત્ થાય છે ૧-૨ ” આ રોગમાં દીક્ષા લેનાર પણ વ્રતથી પડે છે, એમ નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે.
જે ગ્રહનું જે જન્મ નક્ષત્ર હોય તે પિતપોતાના ગ્રહના વારે આવે તે જન્મગ્રહ નામને કુગ થાય છે. ૪ ગ્રહના જન્મ નક્ષત્ર આ પ્રમાણે છે.
विशाखा कृतिकाप्यानि, श्रवणो भाग्य मिज्यभम् ।
येवतियाम्यमश्लेषा, जन्माण्यर्कत: क्रमात् ॥१॥ . અર્થ– રવિ વિગેરે નવ ગ્રહના જન્મનક્ષત્ર અનુક્રમે વિશાખા, કૃતિકા, ઉત્તરાષાઢા શ્રવણ, પુર્વાફાલ્યુની, મૃગશર, રેવતી, ભરણી અને અલેષા છે. (૪૨)
લલ કહે છે કે કુરગ્રહ ઉલ્કા વિગેરેથી પીડાતા નક્ષત્રનો ગ્રહ યાત્રા કુંડળીનાં લગ્નમાં આવે તે તે અશુભ છે.
અન્ય ગ્રંથમાં વાર અને નક્ષત્રના બીજા પણ કુગ કહેલા છે, જે આ પ્રમાણે છેરવિ વિગેરે સાત વારમાં અનુક્રમે ભરણું, પુષ્ય, ઉત્તરાષાઢા, આદ્ર, વિશાખા, રેવતી અને શતભીષા નક્ષત્ર હોય તે શણુયોગ થાય છે, પ્રીતિના કાર્યમાં આ રોગ વ .
રવિ વિગેરે સાત વારમાં અનુક્રમે–ઉત્તરાષાઢા, આદ્ર, વિશાખા, રોહીણી, શતભિષા, મધા અને મુળ નક્ષત્ર હોય તે ચરોગ થાય છે, જે સ્થિર કાર્ય માટે અશુભ છે.
રવિવારે મધા કે ધનિષ્ઠા, સોમવારે મુળ કે વિશાખા, મંગળવારે કૃતિકા કે ભરણ બુધવારે પુનર્વસુ કે રેવતી, ગુરૂવારે અશ્વિની કે ઉત્તરાષાઢા, શુક્રવારે રેહણ કે અનુરાધા
* ગ્રહ જન્મ નક્ષત્રમાં મદેન્મત્ત રહે છે, તેથી સ્વકાર્ય કરી શક્તા નથી. આ પણ ગ્રહનું એક નિર્બળ સ્થાન છે. એમ સમજાય છે.
BENVINEN LES SEVESTES ESEN BARNEVELDLEVERENPREUSSENSESENELEMENTEN IN EE
૧૯૦