SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Banana SARASANTRENaranasanakasalan MANASE SAMMENARARAMMANAMA તે તે બમણું ફળ આપનારો વિશેષ સિદ્ધિયોગ કહેવાય છે. હવે અમૃતસિદ્ધિગ કહે છે— हत्थं मिगऽसिणो चेवा-ऽणुराहा पुस्म रेवई । रोहिणी वारजोगेणा-ऽमिअसिद्धिकरा कमा ॥४३॥ અર્થ–હસ્ત મૃગશર અશ્વિની અનુરાધા પુષ્ય રેવતી અને રેશહિણું અનુક્રમે સાતવારની સાથે અમૃતસિદ્ધિગ કરનારા છે. વિવેચન–રવિવારે હસ્ત નક્ષત્ર હોય, સોમવારે મૃગશર હેય મંગળવારે અશ્વિની હોય બુધવારે અનુરાધા હોય ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય, શુક્રવારે રેવતી નક્ષત્ર હોય, અને શનિવારે હિણી નક્ષત્ર હોય તે અમિતસિદ્ધિને દેવાવાળો અમૃતસિદ્ધિ એગ થાય છે. તેના બળ માટે હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે – भद्रा संवर्तकाद्यैश्चेत्, सर्वदुष्टेऽपि बासरे । योगोऽस्त्यमृतसिद्धयाख्य, सर्व दोषक्षयस्तदा ॥१॥ અર્થ––ભદ્રા અને સંવર્તક વિગેરેથી દુષ્ટ થયેલ દિવસે પણ જો અમૃતસિદ્ધિયોગ હોય તે સર્વ દુષણને ક્ષય થાય છે # ૧ In રત્નમાલા ભાષ્યમાં પણ કહ્યું છે કે–અમૃતગમાં કરેલ કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. કેટલાક આચાર્ય કહે છે કે—આ સાતે અમૃતસિદ્ધિ યોગમાં અનુક્રમે પાંચમથી અગ્યારસ સુધીની સાત તિથિઓ હેય તે મૃત્યુયોગ થાય છે. જે અમે તિથિ વાર અને નક્ષત્ર એ ત્રણના યોગમાં દેખાડી ગયા છીએ વળી મુહુર્ત ચિંતામણુમાં પણ કહ્યું છે કે गृह प्रवेशे यात्रायां, विवाहे च यथाक्रमम् । भौमेऽश्विनी शनौ ब्रामं, गुरौ पुष्यं च वर्जयेत् ॥१॥ અથ—ગૃહપ્રવેશ યાત્રા અને વિવાહમાં અનુક્રમે –મવારે અશ્વિની હય, શનિવારે * રોહિણી હોય, અને ગુરૂવારે પુષ્ય હોય તે તે વર્યું છે, વિવાહની પેઠે દિક્ષામાં પણ ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય તે શુભ નથી. આ રીતે અમુક કાર્યોમાં નિષેધેલ અમૃતસિદ્ધિગ અશુભ છે. હવે ઉત્પાતાદિ ચાર યુગ કહે છે– वारेसु कमसो रिक्खा, विसांहाइ चऊ चऊ । उप्पाय मच्चचुकाणाक्ख-सिद्धिजोगावहा भवे ॥४४॥ ૧૮૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy