________________
SERENDARASARABARTMANSTRANDIAREKANINAN ANANAMAN
गतमेष्यद्वर्तमानं, सुखलक्ष्म्यायुषां क्रमात् ।।
क्रान्तिसाम्यं मृजेद हानि, त्र्यहं तेनाऽत्र वय॑ताम् ॥१॥ અથ—-પૂર્વ દિવસે થયેલ ક્રાન્તિસામ્ય, પછીના બીજે દિને થનારૂં ક્રાન્તિસામ્ય અને વર્તમાન દિવસનું ક્રાન્તિસામ્ય; અનુક્રમે સુખ લક્ષ્મી અને આયુષ્યને નાશ કરે છે. માટે કાન્તિસામ્યનો દિવસ, તેની પહેલા દિવસ અને પછી દિવસ એમ ત્રણ દિવસ વર્જવા” in ૧ | કેટલાક આચાર્યો તે કાન્તિસામનો એક દિવસ વવાનું કહે છે, જ્યારે કેટલાક તે વિશ્વવ્યાપ્ત અંગની જેમ માત્ર વ્યતિપાત ક્રાન્તિસામ્ય દેષવાળા દિનભાગને જ અશુભ માને છે, અને બાકીના વારને કાર્ય કરવામાં નિર્દોષ માને છે.
તેના ફળ માટે વલ્લભ કહે છે કે –
खङ्गाहतोऽग्निना दग्धो, नागदष्टोऽपि जीवति ।
क्रान्तिसाम्य कृतोद्वाहो, म्रियते नात्र संशयः ॥१॥ અથ_“તરવારથી ઘવાયેલા, અગ્નિથી દાઝેલો અને સર્પથી સાયેલે પણ જીવે છે. પરંતુ કાન્તિસામ્યમાં વિવાહિત થયેલ તે મૃત્યુ જ પામે છે એમાં સંશય નથી.” ૧ કાન્તિસામ્ય તે છે કે બાર રાયંક આવે ત્યારે જ થાય છે. એટલે તેમાં એક અંશને પણ ફેરફાર હોય તે ઈષ્ટકાળે ક્રાન્તિસામ્ય હોતું નથી. જે અધિક અંશ આવે તે કાન્તિસામ્ય થઈ ગયું છે, અને ઓછા અંશ આવે હવે કાતિસામ્ય થશે એમ સમજવાનું છે. અને તે ઉપરથી કાન્તિસામ્યની ઘડી-પળ શોધી કાન્તિસામ્યનો નિશ્ચતકાળ કરવાની જરૂર છે. તે માટે એવી રીતિ છે કે-સાયન સૂર્ય અને ચન્દ્રની રાશિ અંશ કળા અને વિકળાને સરવાળે કરે. જે છે કે બાર રાäક આવે તે ઈટકાળે ક્રાન્તિસામ્ય છે, પણ જે વધારે અંશ કળા આવે તે તેની વિકળા કરવી. બીજી તરફ સાયન સૂર્યની ગતિ કળા વિકલા અને ચન્દ્રની ગતિ કળા વિકળાનો સરવાળો કરી સ્પષ્ટ કળા કરવી, પછી આ ગતિ વિકળા વડે ઉપરોક્ત વિકળાને ભાગ દે, જેથી ભાગમાં ગત દિવસ આવશે. વળી શેષને ૬૦ થી ગુણ ગતિવિકળાથી ભાગવાથી ગત ઘડી વિગેરે આવશે. અને જે છે કે બારથી ઓછા અંશ હોય તે તેની પણ વિકલા કરી તેને ગતિવિકળાવડે ભાગવાથી ક્રાન્તિસામ્યના શેષ દિન ઘડી પલ વિગેરે આવશે. જેમકે સંવત ૧૫૧૨ ના વૈશાખ શુદિ ૧૦ ગુરૂવારે મઘા નક્ષત્રમાં ઘડી ૧ પળ ૪૫ પછી ધ્રુવનો પ્રથમ પાદ ભગવાયેલ છે. તે કાળે સૂર્ય ૦-૧૮-૫૦-૨૬ છે, સાયન સૂર્ય ૧-૪-૨૪-૨૬ છે, ગતિ કળા વિકળા ૫૭-૫૮ છે, ચન્દ્ર ૪-૧૧-૨-૩૦ છે, સાયન ચન્દ્ર ૪–૨૬–૩૬-૩૦ છે, અને ગતિકળા ૭૫૦ છે તેમને એકઠા કરવાથી દ–૧–૦- ૬ થાય છે, તે અહીં ક્રાન્તિસામ્ય વીતી
૧૧૭