________________
NAINEN
RETRORENE SENDNANGIN
FEERS
GNINGS MANAS SANKANER NARANPARAB
ત્રણ સૌમ્યગ્રહ બળવાન હોય તે લગ્ન પણ શ્રેષ્ઠ છે.”
હવે અશેષ ગોચરશુદ્ધિ કહીએ છીએ.
જે વિલગ્ન શુદ્ધિ, ઉદયાસ્તશુદ્ધિ, ગ્રહોનું નૈસર્ગિક બળ, ચેષ્ટા વિગેરે બળ, વાધ, જન્મરાશિ, ગોચર, ગ્રહની નિર્બળતા, પરસ્પર બળાબળ, રેખાવ અને શુભગ વિગેરેથી શોભિત લગ્ન તે સંપૂર્ણ શુદ્ધ લગ્ન કહેવાય છે. અને તેમાં વિલગ્ન વિગેરે જેટલા પ્રકારની પ્રતિકુળતા હોય તેટલા પ્રમાણમાં તે દુષિત લગ્ન કહેવાય છે. જેમાં લગ્ન કુંડળીને દુષિત કરનાર વિલગ્ન નીચે મુજબ છે.
न जन्मराशौ नो जन्म, राशिलग्नेऽन्तमाष्टमे ।
न लग्नांशाधिपे लग्नात्, षष्टाष्टमगते विदुः ॥१॥ અર્થ_જન્મરાશિ, જન્મરાશિનું લગ્ન, જન્મરાશિથી આઠમું લગ્ન, જન્મરાશિથી બારમું લગ્ન, છ સ્થાને રહેલ ઈસ્ટ લગ્નાધિપતિ, છઠું સ્થાને રહેલ ઈક નવાંશાધિપતિ અને આઠમે સ્થાને રહેલ નવાંશાધિપતિ હોય તે લગ્ન લેવું નહિ.” . ૧ ય આ પ્રમાણે નરચંદ્રસૂરિ કહે છે.
ઉદયપ્રભસૂરિ કહે છે કે-જન્મકુંડળીનું લગ્ન અને તેથી આડમું તથા બારમું લગ્ન ત્યજવું. ગગ તે કહે છે કે–ચોથું લગ્ન પણ ત્યાજ્ય છે.
चतुर्थद्वादशे कार्ये, लग्ने यहुगुणे यदि ।
अष्टमं तु न कर्तव्यं, यदि सर्वगुणान्वितम् ॥१॥ અર્થ–“બહુગુણ યુક્ત ચોથું અને બારમું લગ્ન લેવું. પણ સર્વ ગુણ યુક્ત આઠમું લગ્ન તે અવશ્ય લેવું નહીં.” II 1 II
બૃહસ્પતિ કહે છે કે – લગ્નેશ અને અષ્ટમેશ મિત્ર હોય તે લગ્નરાશિ અને અષ્ટમરાશિને દોષ નથી. સારંગ કહે છે કે–ચોથું અને આઠમું લગ્ન મિત્ર હોય, અને પુષ્ટ ગુરુ-શુકથી દેખાતાં હોય તે શુભ છે. છઠ્ઠા સ્થાને લગ્ન પતિ કે નવાંશપતિ હોય તે લગ્નસ્થ ગુરુ પણ દોષને ભાંગી શકતું નથી. તથા આઠમે સ્થાને રહેલ લગ્નાધિપતિ ઈષ્ટ લગ્નદ્રષ્કાણથી બાવીશમે દ્રષ્કાણે હોય તો તે વધારે અશુભ છે, અને તેઓ પ્રાયઃ સ્થાનરાશિના અંકવાળા વર્ષે ફળ આપે છે. બારમા સ્થાનમાં રહેલ લગ્નાધિપતિ પણ અશુભ છે. નવાં શાધિપતિ છ, આઠમે, કે બારમે સ્થાને સ્વગૃહી હોય તે તે નવાંશે શુભ છે.
૧૦૯