SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અખકાદિ સાત રોજયોગ ૧. અનકાયોગ : જન્મકંડલીમાં રવિને છોડીને ચન્દ્રથી બારમે મંગળ આદિમાંથી કોઈપણ ગ્રહો હોય ત્યારે અનુફાયોગ થાય છે. ૨. સફાયોગઃ ચન્દ્રથી બીજે સ્થાને મંગળ આદિમાંથી કોઈપણ ગ્રહ હોય તો સુતુફા નામનો યોગ થાય છે.. ૩. દુધરાયોગ: ચન્દ્રથી બીજે અને બારમે બન્ને સ્થાને મંગળ આદિમાંથી કોઈપણ ગ્રહ હોય તો દુરધરાયોગ થાય છે. ૧. કેમદ્રુમયોગ : તથા ચન્દ્રથી બારમે અને બીજે મંગળ આદિમાંથી કોઈપણ ગ્રહ ન હોય તો કેમદ્રુમયોગ થાય છે. ૪. વોશીયોગ : ચન્દ્રથી છોડીને સૂર્યથી બારમે મંગળ આદિમાંથી કોઈપણ ગ્રહ હોય તો વોશીયોગ થાય છે. ૫. વેશીયોગ : સૂર્યથી બીજે કોઈ ગ્રહ હોય તો વેશીયોગ થાય છે. ૬. ઉભયચારી : સૂર્યથી બીજે અને બારમે બન્ને સ્થાને રહો હોય તો ઉભયચારી યોગ થાય છે. ૨. કેદ્રુમયોગ : અને સૂર્યથી બીજે અને બારમે કોઈપણ ગ્રહ ન હોય તો કેમદ્રુમયોગ થાય છે જે કે આ યોગો સ્થૂલરીતે કહ્યા છે. સૂમરીતે તો ઘણાં યોગો થાય છે. કેમદ્રુમયોગ અધમ છે. ૭. લગ્નકેમદ્રુમયોગ. પરંતુ ચન્દ્રને સર્વ ગ્રહો સર્વ ગ્રહો જોતાં હોય તો લગ્નકેમદ્રુમ નામનો રાજયોગ થાય છે આ સાતે રાજયોગો છે. લકૂમતે કેન્દ્રમાં ચન્દ્રમાં હોય તો અથવા કેન્દ્ર સહે કરીને યુક્ત હોય તો કેમદ્રુમ નાશ પામે છે. જન્મની રાશિને, જન્મના લગ્નને તે બન્નેથી બારમાં તથા આઠમાં લગ્નને તથા લગ્ન અને લગ્નાંશના સ્વામિઓ જો લગ્નથી છકે કે આઠમે હોય તો તેને તજવા અને તે જન્મરાશિ દીક્ષામાં શિષ્યની અને પ્રતિષ્ઠામાં સ્થાપક એટલે આચાર્ય અને શિષ્ય એટલે પૂજક ગૃહસ્થ એ બન્નેની તજવાની છે... નારચન્દ્રના મતે : જન્મ લગ્ન વજર્યું નથી, વ્યવહાર પ્રકારના મતે : જન્મરાશિ, જન્મલગ્ન તથા ચોથા સ્થાનની રાશિ, જે લગ્નમાં હોય તો અશુભ છે... બૃહસ્પતિ મતે ; જો લગ્નનો સ્વામિ અને આઠમી રાશિનો સ્વામી પરસ્પર મિત્ર હોય તો આઠમી રાશિથી અને લગ્નની રાશિથી ઉત્પન્ન થયેલો દોષ નાશ પામે છે. એમ બહસ્પતિ કહે છે. ગર્ગ મતે : જન્મ રાશિ અને જન્મ લગ્નથી જે ચોથું અને બારમું લગ્ન ઘણાં ગુણો વાળું હોય તો તે લેવા લાયક છે. પરંતુ આઠમું લગ્ન સર્વ ગુણે કરી યુકત હોય તો પણ લેવા લાયક નથી એમ ગર્ગ કહે છે. સાસ્ત્ર મતે : ચોથું અને બારમું લગ્ન પરસ્પર મિત્રપણાએ કરીને યુક્ત અને કેન્દ્ર કે ત્રિકોણમાં રહેલાં ગુરૂ કે શુક્રની તેના પર દ્રષ્ટિ પડતી હોય તો તે શુભ છે એમ સારંગ કહે છે. વધુ અપવાદો પણ એ જ ટીકામાં છે (આ. સિ. વિ. ૫. શ્લો ૨૯ ની ટીકા) છાત્ર યોગ : જ્યારે બીજે બારમેં, લગ્નમાં અને સાતમાં સ્થાનમાં જ રહો હોય તો છાયોગ થાય છે અને તે માણસ નીચકુળમાં જન્મ્યો હોય તો પણ રાજા થાય છે. યતિદોષ : ચન્દ્રની સાથે બીજો ગ્રહ હોય તો યુતિદોષ થાય છે. કર્તીદોષ : બે ક્રૂરગ્રહોની મધ્યમાં જે ચન્દ્રકે લગ્ન રહેલ હોય તો કર્તરી દોષ થાય છે. એટલે ધન ભુવન અને વ્યય ભવનમાં ક્રૂરગ્રહો હોય તો લગ્નસંબંધી ફૂર કર્તરીદોષ થાય છે તથા ચન્દ્રની બન્ને બાજુ ક્રૂરગ્રહો હોય તો ચન્દ્રની ક્રૂર કર્તરી થાય છે. વળી તેમાં બીજા ભુવનમાં વક્રી ક્રૂરગ્રહો હોય તો અને બારમાં ભુવનમાં અતિચારી ગ્રહ હોય તો લગ્ન કે ચન્દ્રને ક્રૂરગ્રહ સાથે તરત અથડાવાનો સંભવ છે તેથી અતિદુર કર્તરી મનાય છે. - જ્યારે બન્ને ગ્રહો સમાન ગતિવાળા હોય તો મધ્યમ દુષ્કકરી થાય છે અને ધન ભવન ગ્રહ મધ્યમ ગતિવાળા અથવા અતિચારી હોય અને વ્યયસ્થાનનો ગ્રહ અલ્પગતિવાળો હોય અથવા વદી હોય તો અ૫કર્તરી દોષ થાય છે. આ યોગ વિવાહ-દીક્ષા પ્રતિષ્ઠામાં વર્જવાનો છે. (આ. સિ. વિ. ૫, શ્લો. ૨૩ ની ટીકા) હોલા સુવર્નાઈની સમરિભ્ય, ન્યુનW fટનાષ્ટમ્ for safપ ચાર્જ, હોન્નાઇમિટું રામ દ્દ અને નિષેધસ્થળો: વિરાવતીતારે શુદ્ર ત્રિપુરા વિવારે રામે નેરું હોસિT BIT વિનામૂ | (મુહૂર્તમાર્તડ ગુજરાતી ભાષાન્તર પૃ. ૧૦ અને પૃ ૧૯૬) (૨૦)
SR No.008460
Book TitleJyotirmahodaya
Original Sutra AuthorN/A
AuthorAkshayvijay
PublisherAkshayvijay
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Devotion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy