SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પ રત્નાકર [ ત્રાદશ રત્ન અથવા પૂર્વ પ્રમાણે ક્ષેત્રના ૨૪ ભાગે કરી તેમાંના ૧૫ પંદર ભાગમાં ૧૬૦ ભાગ કરી તેમાંના એક ભાગ પંદરમાંથી હીન કરવે અને શેષ રહેલા પંદર ભાગ જેટલું વૃત્ત ફેરવવુ. પછી વૃત્તમાં ઉત્તર દિશાથી સમ છે ભુજો કરવા એટલે બીજી રીતે ષટ્કોણ સિદ્ધ થશે. ૩૩. ૬ અન્ય પ્રકારે ષટ્કોણ કુંડ ૫૪ છ પદ્મકુંડે. अष्टांशाच यतश्च वृत्तशरके यत्रादिमं कर्णिका, युग्मे षोडशकेसराणि चरमे खाष्टत्रिभागो निते ॥ भक्ते षोडशधा शरांतरधृते स्युः कर्कटेऽष्टौ छदाः, सर्वांस्तान्खनकर्णिकां त्यज निजायामोच्चकां स्यात्कजम् ॥३४॥ પૂર્વ પ્રમાણે ક્ષેત્રના ૨૪ ભાગ કરી તેમાંના આઠમા ભાગે ક્ષેત્રમાં વૃત્ત ફેરવવું. પછી એ પ્રમાણે આઠમા ભાગે વધારતા જઇ કુલ પાંચ વૃત્તો ફેરવવાં. તેમાંનુ પહેલુ વૃત્ત કણિકા ( કળી ) રૂપ જાણવું અને ૨ તથા ૩ જા વૃત્તમાં સેળ કેસો જાણવાં. છેલ્લા વૃત્તમાં આડત્રીસ (૩૮) ભાગ કરવા. તેમાંના એક ભાગ છેડી છેલ્લા વૃત્તની ઉપરની બાજુએ ગાળાઇમાં સાળ (૧૬) ભાગ કરવા. અનંતર પાંચ પાંચ ભાગના અંતરે કપાસ ફેરવવા એટલે પદ્મનાં આઠ દલા થશે. પછી બધાં કેશર અર્થાત્ ૨ અને ૩ જી કેશરવૃત્ત ખોદી કાઢવું. પરંતુ પોતાના વિસ્તાર જેટલી કણિકા કેવળ ખોદવી નહિ. આવી રીતે પદ્મકુંડ સિદ્ધ થશે. ૩૪.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy