SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ રન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૩૯ यत्पुण्यश्च भवेन्मेरौ कृते तु लक्षणान्विते ॥ मेरुपुण्यार्घपुण्यं तु लभते मंदिरे कृते ॥४॥ ભદ્ર અને કણે બે બે ઇંગે તથા પ્રતિરથે એક ઈંગ ચઢાવવું. આ પ્રમાણે મંદિર પ્રાસાદ કરે અને તે ગણેશને માટે કરે. જે પુણ્ય મેરૂ પ્રાસાદ કરાવવાથી થાય છે તેનાથી અર્ધા અર્ધ પુણ્ય મંદિરપ્રાસાદ કરાવવાથી થાય છે. ૩૯, ૪૦. ઇતિશ્રી મંદિરપ્રાસાદ પંચમ, તુલા ભાગ ૬, ઈડક ૨૫. (૬) મલયપ્રાસાદ-પંચાંગ–દ્વિતીય પ્રાસાદ. भद्रे शृङ्गत्रयं कुर्यान्मलयो नाम नामतः ॥ अन्यच्च पूर्ववज्ज्ञेयं प्रासादः सर्वकामदः ॥४१॥ ભદ્ર ત્રણ ઉરૂગ ચઢાવવાં અને અન્ય સર્વે પૂર્વવત્ જાણવું. આ મલય નામનો પ્રાસાદ જાણવો અને તે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર છે. ૪૧. ઇતિશ્રી મલયપ્રસાદ ષણ, ઇંડક રહે. (૭) વિમાનપ્રાસાદ-પંચાંગ-તૃતીય પ્રાસાદ. त्यक्त्वैकभद्रशृङ्गं तु प्रत्यंगानि च दापयेत् ॥ प्रतिरथे तिलकञ्च विमानः सर्वकामदः ॥४२॥ ભદ્રથી એક ઉરૂગ ઉતારી કર્ણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવાં અને પ્રતિરથે તિલક કરવું. આ સર્વ કામનાઓને પૂર્ણ કરનારે વિમાન નામને પ્રાસાદ જાણો. ૪૨. ઇતિશ્રી વિમાનપ્રાસાદ સસમ, ઈડક ૩૩, તિલક ૮. (૮) વિશાલપ્રાસાદ-પંચાંગ-ચતુર્થ પ્રાસાદ. तलञ्च पूर्ववज्ज्ञेयं प्रासादे सुविशालके ॥ तृतीयं शृङ्गकं भद्रे संभवेत्सुविशालकः ॥४३॥ વિશાલ પ્રાસાદનું તેલ પૂર્વવતુ જાણવું અને ભદ્ર ત્રીજું એક ઉરૂશગ ચઢાવવાથી વિશાલ નામને પ્રાસાદ થાય છે. ૪૩. ઈતિશ્રી વિશાલપ્રાસાદ અષ્ટમ, ઈડક ૩૭, તિલક ૮.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy