SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યા અને કળાના ભેદે અને તેના મહોય છે તેનું જ્ઞાન ગુરૂ મમંથી પ્રાપ્ત થાય છે તેવું શાસ્ત્રકારેનું કથન છે જીજ્ઞાસુ સુ " શિલ્પીને ગુરૂ જ્ઞાન અર્પે પરંતુ કુપાત્રને વિવા કળાના અધિકારને પાત્ર નથી એવું શાર. કહે છે મેં દશ બારેક ગ્રંથના અનુવાદ તેમાં ભેદે અને મર્મ સાથે સ્પષ્ટ રીતે સંકે વગર ઉદાર હૃદયે આપેલા છે. જો કે આથી મને કુપાત્રને અનુભવ પણ પ્રાપ્ત થયું છે તે પણ ઉદાર હૃદયે હુ બધુ સહન કરતો રહ્યો છું જે કે ભારતમાં આવા કુપાત્રના ભગુરૂગમની ગુપ્તતા રાખી એથી દેશની કેટલીક પ્રાચિન વિદ્યા કળ લુપ્ત થઈ, પ્રાચિન શિ૫ ગ્રંથના અનુવાદનું છેલ્લા પંચાવન વર્ષથી મંથન કરી રહ્યો છું પચ્ચીસેક વર્ષથી તેના પ્રકાશન શરૂ કરી શકે ૧ દીર્ણવ. ૫ વેધવાસ્તુ પ્રભાકર ૯ વાસ્તુ કલાનીધી ૨ ક્ષીરાણુંવ - ૬ છનદર્શન શીપ ૧૦ પ્રતિમા કલાનીધી ૩ પ્રાસાદમંજરી ૭ પ્રાસાદ તિલક ૧૧ વાસ્તુ નિઘંટુ ૪ દીપા ઉત્તરાર્ધ ૮ વાસ્તુસાર ૧૨ વાસ્તુ તિલક ૧૩ ભારતીય દુગનિધાન સે મા પબ્લિકેશન દ્વારા પ્રકાશીત કરેલ મુંબઇ. ૧૪ ભારતીય શિલ્પસંહિતા નીચેના સંશોધન કરી તૈયાર કરેલ છે ૧૫ વૃક્ષાર્ણવ ૧૬ જય પૃચ્છા વાસ્તુશાસ્ત્ર ૧૭ વાસ્તુ વિદ્યા વિદ્વાન સૂર મંડને પંદરમી સદીમાં છીન્ન ભીન્ન ગ્રંથના સંશોધન કરી પાંચ છ ગ્રંથની રચના કરી જ્યારે પાંચ વર્ષ પછી મારા શિપના અ૫ જ્ઞાને હું જે કાંઈ કરી રહ્યો છું તેમાં ઈશ્વરી સંકેત હશે પ્રાચિન વિદ્યાને સજીવ રાખવાને મારે અ૫ પ્રયાસ છે મારા. ૬૦ વર્ષના લાંબા કાળ વ્યવસાય દરમ્યાન જુદા જુદા પ્રદેશમાં પ્રસાદ નિર્માણ કરેલ છે સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશરાજસ્થાન ઉત્તરપદેશ આંધ કર્ણાટક કેરાલા બંગાળ બિહાર વગેરે પ્રદેશમાં પ્રસાદ નિર્માણે કરેલ છે. મારા જેઠ પુત્ર સ્વ. બળવંતરાય શિલ્પ સ્થાપત્યનું ઘણું સારૂ જ્ઞાન ધરાવતાં ભવિવ્યમાં અમારા કુળ પરંપરા શિલ્પવ્યવસાય તે જાળવી રાખશે તેવી આશા હતી. હિમાલયમાં બદ્રીનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રી બીરલાજીએ મેલેલા વળતાં તા. ૧૭-૯-૬૯ના ભાદરવા સુદ ૫ ના રોજ અલકનંદાના પ્રવાહમાં એકાવન વર્ષની ઉંમરે દેહવિલય થયે તેનું મને ઘણું દુઃખ છે. મારા બીજા પુત્રમાં ચી. વિનોદરાય સહકુટુંબ અમેરીકા વસે છે. ત્રીજા પુત્ર ચી હર્ષદરાય હાયક/ એડવેકેટ છે કનિષ્ઠ પુત્ર ધનવરાય બેંક વ્યવસાયમાં છે અમારા કુળ પરંપરાની વિદ્યાને કળાને વારસો મારા પ્રપૌત્ર ચી. ચંદ્રકાન્ત સંભાળી લીધો છે તેથી મને સંતેાય છે,
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy