SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જવલભ, (૭૮) उपजाति. भद्राव्यकुंडंचतुरस्रकंच । सुभद्रकंभद्रथुतंद्वितीयं ॥ नंदाव्यकंस्यात्प्रतिभद्रयुक्तं । मध्येसभिट्टपरिघंचतुर्थ ॥३१॥ અર્થ:— જે કુંડ ચતુરસ (ચોરસ) હોય તે કુંડનું નામ “ભદ્ર” કહેવાય, પણ જે કુંડ ભદ્ર સહિત હોય તે કુંડનું નામ “સુભદ્ર” કહેવાય; તથા સ્પછે હકીકત મળી આવ્યાથી સંશય દૂર થવા મૂળ ધકે લખતા પહેલાં કહેવું જોઈએ છે, વાસ્તુશાસ્ત્રના બીજા પણ ગ્રંથો જેણે રચેલા છે એવા પંડિતની પતિને શોભાવનાર મંડન સૂત્રધારે રાજવલ્લભ જેવા રત્નમાં આવું પદ મૂક્યું હોય એમ સંભવતું નથી કારણ કે, એજ રાજવલ્લભની એ પ્રતમાં એવું વાક્ય છે કે, “ કરાષ્ટતઃ પંચશતાનિ હૈ તદઉં મäતુપુનઃકનિષ્ટ ” આઠ હાથથી માંડી પાંચ હાથ સુધી પહોળી પાળ કરવી તે પછી મધ્ય અને કનિષ્ટ માટે અનુક્રમે અર્ધ પ્રમાણથી કરવી, એ રીતે પાઠાંતર મળે છે તેથી સમજાય છે કે પદમાં ફેરફાર થવાનું કારણ શિલ્પશાસ્ત્રની પરંપરા કેટલાક વર્ષોથી ચાલી આવે છે તે રૂટીને અનુસરી ગ્રંથ લખાવનાર અને લેખકની કાળજી હશે નહિ તેથી તેમ બન્યું હશે. सहनदडैज्येष्टस्यात् । मध्यंचतदर्धतः॥ मध्याधस्यात्कनिष्ठंच । त्रिविधंतुल्यदीर्घतः॥३५॥ ज्येष्ठपंचाशहस्तंचामध्यमपंचविंशति|कनिष्ठंसूयहस्तंचापाालमानंतुविस्तरे॥३६॥सूत्र॥७॥ અર્થ –એક હજાર દંડનું જે તળાવ હોય તે છ માનનું કહેવાય, તથા પાંચસે દંડનું હોય તે, મધ્ય માનનું અને અતીશે ધનુનું હોય તે કનિક માનનું કહેવાય, એ રીતે ત્રણ પ્રકારનાં મોટાં તળાવો છે તેમાં જે માનના તળાવને પચાસ હાથની પાળ હોય તે પેટમાનની પાળ કહેવાય, તથા મધ્ય તળાવને પચીસ હાથના વિસ્તારવાળી પાળ હોય તે મધ્યમમાનની કહેવાય અને કનિકમાનના તળાવને બાર હાથની પાળ હોય તે કનિટમાનની કહેવાય. ૩૫, ૩૬. એ રીતે તળાવ અને તેના અનુક્રમે પાળનું માને કહ્યું છે તે બરોબર હશે એમ નિશ્ચય થાય છે તોપણ છત્રીશમાં શ્લોકના પ્રથમ પદમાં I sggવારા તંત્ર ને છે તેના બદલે પંચાશત હોત તો વ્યાકરણની રીતિ પ્રમાણે ઠીક પડતે પણ તેમ ન છતાં પંચાશ છે તેના આ ગળ વ્યંજન ત કરવામાં આવે તે છંદ શાસ્ત્રના નિયમથી ઉલટું થાય છે કારણ કે અનુટપ છંદના દરેક પદને પાંચ અક્ષર લઘુ અને છ ગુરૂ હેવો જોઈએ એવો નિયમ સચવાત નથી કેમકે અર્ધ તકાર કરવામાં આવે તો પાંચમો અને છ એ બન્ને અક્ષર ગુરૂ રૂપે થાય છે. ' હવે 2 અશુદ્ધ થવાનું કારણ તે એજ છે કે, શિલ્પશાસ્ત્રના હિમાયતી લેકેએ પિતે અભ્યાસ કર્યો નહિ અને એવા ગ્રંથે છુપાવી રાખી અભ્યાસિઓની દષ્ટિએ પડવા દીધા નહિ તેથી તે લોકોમાંથી તેનું જ્ઞાન નાશ પામ્યું અને પુસ્તક પારવિનાનાં અશુદ્ધ થઈ પડ્યાં છે તેને થીજ શિલ્પના ઘણુ ગ્રોને અંત આવ્યા જેવું ડા કાળમાં થશે એટલે જેટલો ભાગ્યો તુટે હુન્નર છે તે પણ નાશ થશે.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy